નડિયાદમાં રૂડસેટ સંસ્થા ખાતે ખેડાના યુવકો માટે 60 દિવસીય પશુ મિત્ર તાલીમનું આયોજન તાલીમ મેળવ્યા બાદ યુવકો પશુમિત્ર તરીકે કાર્ય કરી શકશે પશુઓની તબીબી સંભાળ, કૃત્રિમ વીર્યદાન જેવા કાર્ય કરવા માટે યુવકો સક્ષમ બનશે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લાના યુવકો માટે 60 દિવસની પશુ મિત્ર તાલીમનું આયોજન રૂડસેટ સંસ્થા નડિયાદ ખાતે યોજાશે. આ તાલીમ મેળવ્યા બાદ યુવકો પશુમિત્ર તરીકે કાર્ય કરી શકશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ જે ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે તેમને વિવિધ કાર્ય જેવા કે ડેરી ફાર્મ મરઘાં ફાર્મ, વિગેરેના સંચાલન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકશે. આ ઉપરાંત પશુઓની તબીબી સંભાળ, કૃત્રિમ વીર્યદાન વિગેરે જેવા કાર્ય કરવા માટે પણ યુવકો સક્ષમ બનશે. આ સાથે ખેડૂતોને પણ ખેતી વિષયક પ્રશ્નોનો વ્યવહાર ઉકેલ મેળવી આપશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. તો જિલ્લાના યુવકોને તેમનું નામ રજિસ્ટ્રેશન કરાવવા તથા વધુ માહિતી માટે રૂડસેટ સંસ્થા, પીપલગપીપળાતા રોડ પર આવેલી સંસ્થાની મુલાકાત કરવા જણાવવામાં આવ્યું છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો