નડિયાદમાં રૂડસેટ સંસ્થા ખાતે ખેડાના યુવકો માટે 60 દિવસીય પશુ મિત્ર તાલીમનું આયોજન તાલીમ મેળવ્યા બાદ યુવકો પશુમિત્ર તરીકે કાર્ય કરી શકશે પશુઓની તબીબી સંભાળ, કૃત્રિમ વીર્યદાન જેવા કાર્ય કરવા માટે યુવકો સક્ષમ બનશે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લાના યુવકો માટે 60 દિવસની પશુ મિત્ર તાલીમનું આયોજન રૂડસેટ સંસ્થા નડિયાદ ખાતે યોજાશે. આ તાલીમ મેળવ્યા બાદ યુવકો પશુમિત્ર તરીકે કાર્ય કરી શકશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ જે ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે તેમને વિવિધ કાર્ય જેવા કે ડેરી ફાર્મ મરઘાં ફાર્મ, વિગેરેના સંચાલન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકશે. આ ઉપરાંત પશુઓની તબીબી સંભાળ, કૃત્રિમ વીર્યદાન વિગેરે જેવા કાર્ય કરવા માટે પણ યુવકો સક્ષમ બનશે. આ સાથે ખેડૂતોને પણ ખેતી વિષયક પ્રશ્નોનો વ્યવહાર ઉકેલ મેળવી આપશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. તો જિલ્લાના યુવકોને તેમનું નામ રજિસ્ટ્રેશન કરાવવા તથા વધુ માહિતી માટે રૂડસેટ સંસ્થા, પીપલગપીપળાતા રોડ પર આવેલી સંસ્થાની મુલાકાત કરવા જણાવવામાં આવ્યું છે.
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો