નડિયાદના પીપલગમાં દિવ્યાંગોને સાધનોનું વિતરણ, 25 ટ્રાઈ-સાઇકલ, 9 વ્હીલચેર આપવામાં આવી કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગોને વિનામૂલ્યે સહાયક સાધનોનું વિતરણ એમઆર કીટ તથા અન્ય ટોકન સાધનો મંત્રીના હસ્તે આપવામાં આવ્યાં નડિયાદના પીપલગ ગામની સ્નેહ સ્કૂલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન વિતરણ કરવામાં આવ્યાં હતા. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની એડીપ યોજના અંતર્ગર્ત અંધજન મંડળ નડિયાદ અને સી.આર.સી. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પીપલગ ગામની સ્નેહ સ્કૂલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે સહાયક સાધનો-વિતરણનો કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને 25 ટ્રાઈ-સાઇકલ, 9 વ્હીલચેર, એમઆર કીટ તથા અન્ય ટોકન સાધનો મંત્રી અર્જુનસિંહના હસ્તે આપવામાં આવ્યાં હતા. વિકાસના કામોમાં કડીરૂપ બનવા બદલ સંસ્થાને બિરદાવી પ્રસંગ અનરૂપ વક્તવ્ય આપતા અર્જુનસિંહે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સતત દિશાસૂચન કરીને વિકાસના કામોમાં કડીરૂપ બનવા બદલ અંધજન મંડળ નડિયાદ સંસ્થાને બિરદાવી હતી. આ સાધનનોથી દિવ્યાંગ બંધુઓના જીવનમાં સકારાત્મક પરિણામ આવે એવી આશા રાખતાં મંત્રીએ વધુમાં સંસ્થા અને તમામ લાભાર્થીઓને ભવિષ્યમાં પણ તમામ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી હતી. મંત્રી તેમજ લાભાર્થીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા ભારત સરકાર, સમાજ કલ્યાણ મંત્રાલય તરફથી કાર્યક્રમના અન્ય મુખ્ય અતીથી રાજેન્દ્ર ચંચાણીએ જણાવ્યું કે, સાધન સહાય યોજનાથી સરકાર દ્વારા સતત જરૂરિયાતમંદોને શ્રવણ-યંત્ર, એજુકેશનલ કીટ વગેરે આપવામાં આવતા હોય છે. આ કાર્યક્રમમાં ગ્રામ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજન દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નડિયાદ એલ.જે. ભરવાડ, સામાજિક કાર્યકર ભુપેન્દ્ર બ્રહ્મભટ્ટ, અંધજન મંડળના કાર્યકરો, સાધન સહાયના લાભાર્થીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત