અરવલ્લી જિલ્લાના ધનસુરાના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે નવી શિણોલ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. નવી શિણોલ ગામે શ્રીરામ પરિવાર તથા કુળદેવીમા અર્બુદા શ્રી રાધાકૃષ્ણ, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ અને અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ સ્ફટિક શિવલિંગ શ્રી રામેશ્વર મહાદેવના નૂતન મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવ કુંડાત્મક મહાવિષ્ણુયાગ યોજાયો હતો.25મેં થી 27મેં સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે પ્રારંભ, અગ્નિ સ્થાપન, મહાવિષ્ણુયાગ, આરતી રાત્રે ડાયરો યોજાયો હતો. પ્રથમ દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાઘાભાઈ (તન્મય વેકરીયા) ઉપસ્થિત રહ્યા હતા.તો બીજા દિવસે શોભા યાત્રા, મહા વિષ્ણુયાગ, જલાધિવાસ, આરતી, અને રાત્રે રાસ ગરબા યોજાયા હતા જેમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર પાર્થ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.ત્રીજા દિવસે પ્રાતઃ પુજન,ધ્વજા આરોહણ, શિખર સ્થાપના, મહા વિષ્ણુયાગ, પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતિ, મહા આરતી, મહા પ્રસાદ અને સાંજે ધર્મસભા અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ત્રણ દિવસના આ કાર્યક્રમમાં અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતાઓ, સહ યજમાન દાતાઓ , પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાટલાના યજમાન દાતાઓ સહિત ગામ લોકો અને આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ભવ્ય આયોજન સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ નવી શિણોલ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર