તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર રેઢીયાળ બની ગયું છે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. ખુલ્લી ગટર અને તૂટેલા રસ્તાઓને કારણે દર્દીઓ મચ્છરના ત્રાસથી રાત્રે સુઈ પણ શકતા નથી અને આ સમસ્યાઓ દૂર કરવા માટે હોસ્પિટલનું તંત્ર અને પીઆઈયુ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ પ્રશ્ને તાકીદે પગલા ભરવામાં ન આવે તો દર્દીઓ અને તેના સગાઓએ આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે. હોસ્પિટલની ખુલ્લી ગટરો અને તૂટેલા રસ્તાના પ્રશ્ને હોસ્પિટલના તંત્રવાહકોએ જણાવ્યું છે કે આ અંગેનું કામ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ એટલે કે પીઆઈયુ દ્વારા કરવાનુ હોય છે. રસ્તા માટે પહેલી તારીખથી જ જગ્યા ખાલી કરી આપવામાં આવી છે. પણ 17 દિવસમાં બાદ પણ પરિસ્થિતમાં ફેર નહીં પડતા ચોમાસામાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે. બીજીબાજુ PIU તંત્ર હોસ્પિટલ દ્વારા પુરતો સહકાર નહીં અપાતો હોવાની ફરિયાદ કરી રહ્યું છે. બે તંત્ર વચ્ચેના ઝઘડતી વચ્ચે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે દર્દીઓએ ઉહાપોહ મચાવતા રસોડાની તૂટેલા પાઈપ રિપેરીંગ કરવા હાથ ધરાયું છે.
Trending
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
- યુપીના સંભલમાં થયેલી હિંસા પાછળ સુનિયોજિત કાવતરું હતું, ‘સાંસદ સંભલ’નો વોટ્સએપ ગ્રુપમાં થયો ખુલાસો
- યુપીમાં પતિએ પત્નીને ગોળી મારવા માટે કિલરને કોન્ટ્રાક્ટ આપ્યો , તાંત્રિકના કહેવાથી ઘડાયું આ કાવતરું
- આપણે ભારતની ચિંતા શા માટે કરવી જોઈએ? USAID પર ડોનાલ્ડ ટ્રમ્પનો ત્રીજો હુમલો