દાહોદ પંથકમાં ઝાલોદ તાલુકા ની ગ્રામ પંચાયત 26 ગ્રામ પંચાયતો માં જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટદારો ની નિમણૂક કરવામાં આવી હતી. ઝાલોદ તાલુકામાં હાલમાં 105 ગ્રામ પંચાયત કાર્યરત છે. જેમાં 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદ્દત પૂર્ણ થતા ચુંટણી પંચના આદેશ અનુસાર હોવા છતાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી યોજવામાં આવી ન હતી. જેથી સરપંચોને પંચાયતના વહીવટ માંથી મુક્ત કરાયા હતા.અને તલાટી કમમંત્રીઓને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સાથે સાથે વિભાજન વાળી 15 ગ્રામ પંચાયતોમાં પણ વહીવટદાર ને સમગ્ર વહીવટ આપવા માં આવ્યો હોવાનું પ્રાથમિક સુત્રો દ્વારા જાણવા મળેલ છે.૨૬ ગ્રામ પંચાયતના કામોમાં વિલંબ ન થાય અને વહીવટી આટી ઘુટી ને કારણે તે માટે ચૂંટણી ન યોજાઈ ત્યાં સુધી પંચાયતોમાં તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમાયા હતા. હાલમાં ઝાલોદ તાલુકા પંચાયતમાં પણ કાયમી ટીડીઓ ન મુકાતા અનેક કામો અટવાઈ ગયા છે. ત્યારે ગ્રામ પંચાયતની જેમ જિલ્લા કક્ષાએથી કાયમી ટીડીઓને ચાર્જ આપવામાં કાર્યવાહી કરાય તેવી પ્રજા ની લોકમાંગ પ્રબળ જોવા મળી રહી છે.
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો