જુનાગઢ પીજીવીસીએલમાં ફરજ બજાવતા શૈલેષભાઈ મજેઠીયા ઉમર વર્ષ 55 અને તેમનાં પત્ની હિનાબહેન મજેઠીયા ઉમર વર્ષ 51 આ વર્ષે લદાખ ની બાઈક યાત્રા કરવા વિચાર કર્યો હતો પરંતુ બાદમાં આ દંપતીએ લદાખ ને બદલે ચારધામ યાત્રા કરવા નક્કી કર્યું હતું આ દંપતીની વય ૫૦ વર્ષથી વધુ હોવા છતાં યુવાનો જેવું સાહસ ખેડી ગત તારીખ પાંચ મહિના બુલેટ પર ચારધામની યાત્રાએ નીકળી ગયા હતા જુનાગઢ થી મોરબી સગાને ત્યાં રાત રોકાઈ શામળાજી થી ઉદયપુર થઈ તેવો તારીખ આઠના હરિદ્વાર પહોંચ્યા હતા ત્યાંથી ઋષિકેશ યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ પહોંચ્યા હતા વીજ કર્મચારી શૈલેષભાઈ મજેઠિયાએ જણાવ્યું હતું કે ક્યારેક રોજ દોઢસોથી બસ્સો તો ક્યારેક અઢીસો કિમી બાઇક ચલાવ્યું હતું જ્યાં જ્યાં ગયા ત્યાં કોઈ મુશ્કેલી થઈ નથી બુલેટ 20 દિવસમાં પાંચ હજાર કિમીનું અંતર કાપી ચારધામની યાત્રા પૂર્ણ કરી જૂનાગઢ પહોંચ્યા હતા કદાચ લોહાણા સમાજમાં બાઈક પર ચાર ધામ યાત્રા કરનારા પ્રથમ દંપતી હશે કે જેણે ૫૦ વર્ષથી વધુ હોવા છતાં યુવાનો પણ આવું સાહસ કરતાં અચકાય એવું સાહસ કર્યું અને કોઈ મુશ્કેલી વગર યાત્રા સંપન્ન કરી હતી
Trending
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું