જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો ગરવા ગિરનારની તપોભૂમિમાં આ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં ૫૦૦થી વધુ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા ભારત આઝાદી અને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 75 વર્ષ કે તેની ઉપરની ઉંમરના 151 જેટલા બ્રહ્મ વડીલોના સાલ અને પુષ્પ ગુરછ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે આઝાદીની લડાઇમાં ભાગ લેનાર પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે વિશિષ્ટ સેવા બદલ મેડલ મેળવનાર જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પીએસઆઇ ચુડાસમાનું બ્રહ્મસમાજે સન્માન કર્યું હતું કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન આચાર્ય મહિલા અગ્રણી જહાનવી બેન ઉપાધ્યાય શહેર પ્રમુખ સહિતનાઓ નું સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રમુખ છેલભાઈ જોશી જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે ડી પંડ્યા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પત્રકારત્વ ક્ષેત્રે કામ કરતા પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો