જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા.૩ થી ૯ જુન સુધી યોજાનાર જિલ્લા કક્ષાના મેળાને કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકાશે, જેમાં હેન્ડીક્રાફ્ટ, દોરીવર્ક, હર્બલ પ્રોડક્ટ, ઘર સુશોભન, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ, અથાણા, પાપડ, ખાખરા જેવી હાથ બનાવટની ચીજ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિકાસ ઉજવણીના ભાગરૂપે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય તમામ જિલ્લાઓમાં સખી મેળાઓનું આયોજન કરાયું છે. ત્યારે જામનગર જિલ્લામાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મેળો તા.૩ થી ૯ જૂન ૨૦૨૨સુધી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે તા.૦૩ જુન ૨૦૨૨ના રોજ સાંજે ૫ કલાકે ખુલ્લો મુકવામાં આવશે. જેમાં સરકારના દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા ગામડાના સ્વસહાય જૂથના સભ્યો એવા મહિલા અને કારીગરો દ્વારા હેન્ડીક્રાફ્ટ, દોરીવર્ક, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, ઘર સુશોભનની ચીજવસ્તુઓ, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ, અથાણા, પાપડ, ખાખરા જેવી હાથ બનાવતી સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ આકર્ષણ કેન્દ્ર બની રહેશે.
Trending
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત
- રવિના ટંડને સમૂહ લગ્ન સમારોહમાં એક યુગલને પોતાના લગ્નના બંગડી ભેટમાં આપ્યા
- શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ફેરફાર કરશે? પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત છે.
- થોડા વધુ દિવસો રાહ જુઓ, સુનિતા વિલિયમ્સ આ દિવસે પૃથ્વી પર આવશે.
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા