ચોમાસુ આવી ગયુ છતાં રસ્તો ન બનતા ગ્રામજનોમાં રોષ ચોમાસામાં પાણી ભરાઇ જતાં થશે હેરાનગતિ સિહોરના પાંચ તલાવડાથી ઝાંઝમેર-વાવડી રોડનું કામ એક વર્ષ પહેલા મંજુર થયુ હતુ સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામે ચોમાસું સાવ નજીક આવી ગયું હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઇ નક્કર કામગીરી ન કરાતાં ગ્રામજનોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે. સિહોર તાલુકાના છેવાડે આવેલ પાંચ તલાવડા ગામથી ઝાંઝમેર-વાવડી રોડનું કામ એક વર્ષ પૂર્વે મંજૂર થયો હતો. અને જે-તે સમયે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. કામ પણ એજન્સીને સોંપાઇ ગયું હતું. કામના સમયગાળાનું બોર્ડ પણ બની ગયું. કામ પૂણ કરવાનાં સમયગાળો પણ પૂરો થવા આવ્યો. પરંતુ આ રોડનું કામ બાકી રહી ગયું. આ રસ્તા પર પથ્થરો બહાર ઘસી આવતા આ રસ્તા પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડો રહ્યો છે. 5 કિમીના આ રસ્તામાં ચોમાસામાં પાણી ભરાઇ જતાં આ વિસ્તારના રહીશો માટે અહીંથી પસાર થવું બેહદ કપરું બની ગયું છે. ચોમાસું તદન નજીક આવી ગયું છે. આ બાબતે તંત્રએ પાણી પહેલાં પાળ બાંધી હોત તો લોકોએ હાલાકી સહન કરવાની નોબત ન આવી હોત! આખરે આંદોલન એજ એક માત્ર ઉપાય છે પાંચ તલાવડા ગામથી વાયા ઝાંઝમેર વાવડી ગામને જોડતા માર્ગના નવીનીકરણ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ નહીં ધરાઇ તો આવનારા દિવસોમાં પાંચતલાવડાવાસીઓ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે. ક બાલાભાઇ ડાંગર, સરપંચ, પાંચતલાવડા ગ્રામ પંચાયત.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર