ગુજરાત હવામાન વિભાગની આગાહી ને લઈને આગામી 5 દિવસમાં રાજ્ય નાવિસ્તારમાં વરસાદ આવવાની સભાવના આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ . હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે . હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહિત આણંદ , વડોદરા , રાજકોટ , ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ . 10 જૂને અમદાવાદ , આણંદ , ખેડા , સુરત , ડાંગ , તાપી , નવસારી , વલસાડ , દમણ અને દાદરા નગર હવેલીમાં વરસશે વરસાદ . તો સૌરાષ્ટ્રમાં સુરેંદ્રનગર , ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસશે વરસાદ 11 જૂને અમદાવાદ , આણંદ , ખેડા , ગાંધીનગર , સુરત , ડાંગ , તાપી , નવસારી , વલસાડ અને દમણમાં વરસશે વરસાદ , જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર , અમરેલી , ગીર સોમનાથ , બોટાદ અને દીવમાં વરસાદ વરસશે . 12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર , અમરેલી , ગીર સોમનાથ , બોટાદ અને દીવમાં વરસાદ વરસશે , તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે . હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે , તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે પ્રિમોનસૂન એક્ટિવિટીને લઈ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે , તો પ્રિ – મોનસૂનના આરંભે જ રાજ્યમાં આફત શરૂ થઈ ગઈ છે . વીજળી પડતા રાજ્યમાં ચાર લોકોના મોત નિપજ્યા છે . જેમાં લીંબડીના જાંબુ અને નાની કઠેચી ગામે વીજળી પડવાથી બેના મોત નિપજ્યા છે . જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે . તો આ તરફ ધંધુકાના જીળાય ગામમાં વાવાઝોડાથી ફંગોળાતા 11 વર્ષનો બાળક કેનાલમાં ગરકાય થયો હતો
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર