અરવલ્લી જિલ્લામાં શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ વિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીએ જમાવટ બોલાવી હતી. મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર આયોજિત કરવામાં આવેલા ડાયરામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ડાયરાનો આનંદ માણ્યો હતો.દેવાયત પંડિતને કર્યા યાદમોડાસા ખાતે આવેલા દેવરાજ ધામ ખાતે જેમની સમાધી છે તેવા દેવાયત પંડિતને પણ યાદ કરવામાં આવ્યા હતા. કિર્તીદાન ગઢવીએ દેવાયત પંડિતને નમન કરીને તેમણે કરેલી અગમવાણીના ભજનો રસાસ્વાદ પણ લોકો સુધી પહોંચાડ્યો હતો. આ પહેલા માયાભાઈ આહિરે પણ દેવાયત પંડિતને યાદ કર્યા હતા.કોરોનાકાળ દરમિયાન શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડના દર્દીઓ માટે અથાગ મહેતન કરી હતી અને ઓક્સિઝનની બોટલ પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી હતી ત્યારે હોસ્ટેલ નિર્ણાણને લઇને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સૌપ્રથમવાર કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવતા લોકોમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને મનમુકીને ઝૂમી ઉઠ્યા હતા. કિર્તીદાન ગઢવીના ચાહકોનો પ્રેમ એટલો હતો કે, તેઓ ચાહકોની તમામ ફરમાઈશ પણ પૂરી કરી હતી.જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડ, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ, માલપુર બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણા, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી ભરત બસીય સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાનો શુભારંભ કરાવ્યો હતો.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર