ભાવનગરથી સાયકલ યાત્રાએ નિકળેલા લાયન્સ ક્લબના બે યુવાનો પોરબંદર ખાતે આવતા તેમનું પોરબંદર લાયન્સ ક્લબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બે યુવાનો દ્વારા કચ્છથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.સારા સ્વાસ્થ્ય માટે સાયકલીંગને પ્રોત્સાહન આપવા, દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝલ પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા જનજાગૃતિનો કાર્યક્રમ તેમજ આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પુરો પાડવા માટે ભંડોળ, સેવાનિધિ સામગ્રી એકત્રીત કરવાના આશયથી ભાવનગરના લાયન્સ ક્લબના યુવાન મિલનભાઇ રાવલ અને શૈલેન્દ્રભાઇ ગોહિલે તા.૧૪ મેથી કચ્છના કોટેશ્વરથી આ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ બન્ને યુવાનો સાયકલ લઇ અને પોરબંદર ખાતે પહોંચતા પોરબંદર લાયન્સ ક્લબના હિરલબા જાડેજા, પ્રમુખ પંકજભાઇ ચંદારાણા, સેક્રેટરી કેતનભાઇ હડોચા, આશીષભાઇ પંડ્યા, નિધિબેન શાહ, ગોપાલભાઇ કોઠારી સહિતના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી અને સન્માન કર્યું હતું. આ યુવાનો ગુજરાતના ૧૬૦૦ કીમી લાંબા દરિયા કિનારાનો પ્રવાસ કરશે. દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ કાયકલ યાત્રા પસાર થશે અને ૩૦ મેના રોજ પાલનપુર ખાતે આ સાયકલ યાત્રા સંપન્ન થશે. આ સાયકલ યાત્રા જે જિલ્લામાંથી પસાર થશે ત્યાંથી લાયન્સ ક્લબના સભ્યો આ યાત્રામા જોડાઇ શકશે તેમ પોરબંદર લાયન્સ ક્લબના પ્રમુખ પંકજ ચંદારાણાએ જણાવ્યું હતું.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર