રાજ્યના ફીસરીજ વિભાગ દ્વારા ચોમાસાને લઈને માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ અમુક માછીમારો દ્વારા આ જાહેરનામાનો ભંગ કરી દરિયામાં માછીમારી કરવા ગયા હતા જેને લઈને ઓખા મરીન પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી પાંચ માછીમારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાઈ ગયેલા તમામ માછીમારો સામે ફરિયાદ નોંધ કરવામાં આવી છે. દર વર્ષે જુલાઈ માસના શરૂઆતના ગાળાથી જ અરબી સમુદ્રના દરિયામાં માછીમારી ન કરવા બાબતે ફીસરીજ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કારણ કે જુલાઈ માસ દરમિયાન અરબી સમુદ્રમાં વધારે પડતો કરંટ હોવાથી પવનની ગતિ અને મોજાઓને ઉછાડમાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે દુર્ઘટના ન ઘટે તે અર્થે તંત્ર દ્વારા માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વર્ષે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ અમુક માછીમારો નિયમનો ભંગ કરી માછીમારી કરવા જતા હોવાની ઓખા મરણ પોલીસને હકીકત મળી હતી જેને લઈને ઓખા મરીન પોલીસ દફતર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઓખા બંદરથી પાંચ નોટિકલ મેલ દૂર સમીયાણી ટાપુ તરફ જતા દરિયામાં માછી મારી કરી રહેલ મિલનભાઈ બચુભાઈ ઢાયાણી, ગીર સોમનાથ જિલ્લાના પાલડી ગામના બચુભાઈ નારણભાઈ સોલંકી, ડાયાભાઈ ઉકાભાઇ સોલંકી, વલસાડ જિલ્લાના હિંગળાજ ગામના પ્રકાશભાઈ હસમુખભાઈ ટંડેલ, વલસાડ જિલ્લાના અમર ફળિયુ ગામના જતીનભાઈ દિલીપભાઈ પટેલ નામના શખ્સો આબાદ પકડાઈ ગયા હતા મોનસુન સિઝનના કારણે દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં આ શખ્સોએ ફીસરીઝ તંત્રની પરવાનગી કે ટોકન મેળવ્યુ ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને આ તમામ શખ્સો સામે આઇપીસી કલમ 188 તથા ફિસરીઝ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર