સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે મહુવા અને તળાજા તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં સંભવિત વધુ વરસાદ પડે તો તકેદારીના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સંભવિત ભારે વરસાદ ની આગાહીને અનુસંધાને સ્ટેન્ડ ટુ છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુ થી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહુવા અને તળાજા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, મહુવા ડે. દિપેશભાઈ, તળાજા ડે. મામલતદાર મોરીભાઇ ટીમની સાથે રહ્યાં હતાં . આમ મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારની મુલાકાત માટે ટિમ પહોશી હતી .
Trending
- એલોન મસ્ક ઝેલેન્સકીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી, સર્વે પર ગુસ્સે થયા
- પાકિસ્તાને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી , લોન પર લોનને કારણે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં
- લોકસભા ચૂંટણીમાં અમેરિકાના હસ્તક્ષેપના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો , ભારત સરકાર હરકતમાં આવી
- ભારતને 21 મિલિયન ડોલરની સહાય પર ટ્રમ્પ ફરી ગુસ્સે થયા, ભાજપ અને કોંગ્રેસ પણ ગુસ્સે થયા
- ભવ્ય RSS કાર્યાલય બનાવવા માટે 100 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? ઇમારતની અદ્ભુત તસવીરો જુઓ
- ભારતીય રેલ્વેની વધુ એક સિદ્ધિ હાંસલ , ૮૨મી વંદે ભારત ટ્રેન તૈયાર થઇ
- કર્મચારીઓ અને શિક્ષકો બીમાર હોય ત્યારે હોસ્પિટલમાં દાખલ થવા માટે પરવાનગી લેવી પડશે, ચોંકાવનારો આદેશ આવ્યો
- મુંબઈના ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પર તિરાડો? વીડિયો વાયરલ થતા પીએમએ નોંધ લીધી