જે અંતર્ગત ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં આ કાર્ડ બાબતે નિરસ માહોલ હતો. જેથી તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી કાર્ડનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં હવે ગામમાં દર અઠવાડિયામાં 25 થી 30 ગ્રામજનો કાર્ડ કઢાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી પી.એમ.જે.વાય. કાર્ડની કામગીરી માટે ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારના લોકોમાં કાર્ડ બનાવવા માટે ઉદાસીનતા જોવા મળી હતી. તેવા વિસ્તારોમાં અંક્લાસ ગામનો પણ સમાવેશ થતો હતો. આ ગામના લોકો હાલમાં ચાલી રહેલા પી.એમ.જે.વાય. કાર્ડ અભિયાનમાં કાર્ડ બનાવવા માટે આવતા ન હતા કે ઓછી સંખ્યામાં આવતા હતા. જે બાબત તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલને ધ્યાને આવતા તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંકલાસની ટીમ સાથે ગામના સરપંચ પુષ્પાબેન વળવી તથા પંચાયતના સભ્યો અને ગામ લોકોને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે વિગતવાર સમજણ આપી હતી. બાદમાં ગામમાં જ નિયમિત રીતે પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રામજનો તથા પંચાયત સભ્યોને વિગતવાર સમજણ અને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે માહિતિ આપતા હાલમાં મોટી સંખ્યામાં લોકો પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવા માટે આવી રહ્યા છે સાથે બીજા લોકોને પણ માહિતી આપી પી.એમ.જે.વાય. યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ અંગે ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રૂપેશ ગોહિલે જણાવ્યું કે, પહેલા આ ગામમાં પી.એમ.જે.વાય કાર્ડ માટે નિરસ માહોલ જોવા મળતો હતો. જેથી ગ્રામજનોને સમજાવ્યા બાદ હવે દર અઠવાડીયામાં એક દિવસે કેમ્પ રાખવામાં આવે છે જેમાં 25 થી 30 પી.એમ.જે.વાય કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
Trending
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય
- હોળી પછી શુક્ર ગ્રહ ઉથલપાથલ મચાવશે, આ રાશિના જાતકોના જીવનમાં સારો બદલાવ જોવા મળશે
- 30 હજારથી ઓછી કિંમતમાં મળશે આ શક્તિશાળી લેપટોપ, ટોચની બ્રાન્ડ્સ આપે છે શાનદાર ઑફર્સ
- આ 5 શાક બનાવતી વખતે જરૂર અજમા નાખો , પેટમાં ગેસ નહીં થાય અને સ્વાદ પણ બમણો થશે!
- એલોન મસ્ક ઝેલેન્સકીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી, સર્વે પર ગુસ્સે થયા
- પાકિસ્તાને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી , લોન પર લોનને કારણે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં
- લોકસભા ચૂંટણીમાં અમેરિકાના હસ્તક્ષેપના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો , ભારત સરકાર હરકતમાં આવી