સંત શુરા અને ખમીરવંતાની ધરા એટલે અમરેલી. અમરેલીના આંગણે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના લોકો માટે મેગા મ્યુઝિકલ ડ્રામા શો વીરાંજલીનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલી શોનું લેખન કાર્ય પ્રસિદ્ધ લોક સાહિત્યકાર સાંઈરામ દવેએ કર્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ શોને લોકોએ પ્રેમથી વધાવ્યો છે. આ શોનું આયોજન અમરેલીના આંગણે થાય એ જ અમરેલી માટે આનંદ અને ગૌરવની પળ છે. આ શો આગામી 4 જૂન 2022 શનિવારના રોજ સાંજના 8 કલાકે કમાણી ફોરવર્ડ મેદાન અમરેલી ખાતે યોજાશે.જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે આ શોનું પ્રથમ આયોજન અમદાવાદ ખાતે થયું ત્યારે મને ત્યાં હાજર રહેવાનું સદભાગ્ય મળ્યું હતું. આ પ્રકારનો શો ગુજરાતમાં પ્રથમ હશે. મ્યુઝિકલ ડ્રામા સાથે તૈયાર કરાયેલ આ શો વિવિધ ટેકનિકલ પાસાઓથી સજ્જ છે. રાષ્ટ્રભક્તિમાં તરબોળ અને શહીદ વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂના જીવન દર્શન કરવાનો અદ્ભુત અવસર એટલે વિરાંજલી. અમરેલીના આંગણે જ્યારે આ શોનું આયોજન થવા જઈ રહ્યું હોય ત્યારે અમરેલીની રાષ્ટ્રપ્રેમી જનતાને આ શો માણવા પધારે તેવી નમ્ર અરજ.વધુમાં તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો હતો.
Trending
- રાત્રે સૂતા કામદારોના શેડ પર ટ્રકમાંથી રેતી નાખી , એક સગીર સહિત 5 લોકોના મોત
- મણિપુરમાં ગામડાના સ્વયંસેવકોની ધરપકડ સામે મહિલાઓનો વિરોધ, પરિસ્થિતિ તંગ
- હોળીને છપરીઓનો તહેવાર કહેવા બદલ ફરાહ ખાનને ભારે કિંમત ચૂકવવી પડી, બિગ બોસ 13 ના સ્પર્ધકે કેસ દાખલ કર્યો
- કતાર ઓપન ટેનિસમાં મોટો અપસેટ, કાર્લોસ અલ્કારાઝનો જીરી લેહેકા સામે પરાજય
- કાશ પટેલ કોણ છે? FBI ડિરેક્ટરે ગીતા પર હાથ રાખીને શપથ લીધા
- યુપી બોર્ડે પ્રયાગરાજમાં 10મા-12મા ધોરણની પરીક્ષા મુલતવી રાખી, હવે આવતા મહિને પરીક્ષા યોજાશે
- કચ્છમાં ભયાનક અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત અનેક ઘાયલ
- અદાણી કંપનીએ આ સૌર પ્રોજેક્ટ શરૂ કર્યો, શું સુસ્ત સ્ટોકમાં ચમક પાછી લાવશે ?