અમદાવાદમાં IPLની બે મહત્વની મેચ શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર હોય તેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઇપીએલની આ બને મેચ ખુબ જ મહત્વની હોય તેના લીધે AMTS અને BRTS દ્વાર ક્રિકેટ પ્રેમી માટે મહત્વનો નિર્ણય કરીને વધારાની બસો દોડવામાં આવશે.અમદાવાદમાં આજે અને 29મી તારીખે રમાનારી આઇપીએલ 2022ની ફાઇનલ મેચ માટે AMTSની 116 બસ 19 રૂટ પર દોડાવશે. આ બસો બપોરના 3 વાગ્યાથી રાત્રીના 1:30 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. આઇપીએલની મેચના 27 અને 29 મેં ના રોજ AMTS અને BRTSની બેસી વિવિધ રૂટો પર દોડાવાશે. AMTSની 54 બસ મુકવામાં આવી છે સ્પેશિયલ રૂટ પર 12 બસ મુકવામાં આવી છે BRTS દ્વારા નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, એલ.ડી. કોલજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ મુકવામાં આવી છે.ઇસ્કોન સર્કલથી વિસત સર્કલ સુધી 6 બસ મુકવામાં આવી છે જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી નરોલ, સાબરમતી પોલીસ સ્ટેશનથી ઇસ્કોન ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશનથી આર.ટી.ઓ. સર્કલ રૂટનો સમાવેશ થાય છે. BRTS દ્વાર આજે કુલ 56 બસ અને 29ના રોજ ફાઇનલ માટે 71 બસો દોડવામાં આવશે. આજે અને રવિવારે બે મેચ મોટેરા સ્થિત નરેદ્ર મોદી સ્ટેડિયમમાં હોવાથી બોપોરના 3 વાગ્યાથી રાત્રીના 1:30 વાગ્યા સુધી વધારાની બસો દોડાવવામાં આવશે.
Trending
- મણિપુરમાં ગામડાના સ્વયંસેવકોની ધરપકડ સામે મહિલાઓનો વિરોધ, પરિસ્થિતિ તંગ
- હોળીને છપરીઓનો તહેવાર કહેવા બદલ ફરાહ ખાનને ભારે કિંમત ચૂકવવી પડી, બિગ બોસ 13 ના સ્પર્ધકે કેસ દાખલ કર્યો
- કતાર ઓપન ટેનિસમાં મોટો અપસેટ, કાર્લોસ અલ્કારાઝનો જીરી લેહેકા સામે પરાજય
- કાશ પટેલ કોણ છે? FBI ડિરેક્ટરે ગીતા પર હાથ રાખીને શપથ લીધા
- યુપી બોર્ડે પ્રયાગરાજમાં 10મા-12મા ધોરણની પરીક્ષા મુલતવી રાખી, હવે આવતા મહિને પરીક્ષા યોજાશે
- કચ્છમાં ભયાનક અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત અનેક ઘાયલ
- અદાણી કંપનીએ આ સૌર પ્રોજેક્ટ શરૂ કર્યો, શું સુસ્ત સ્ટોકમાં ચમક પાછી લાવશે ?
- આ 5 વસ્તુઓ ક્યારેય ખિસ્સામાં ન રાખો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુ રાખવાથી દુર્ભાગ્ય લાવે છે.