અમદાવાદ શહેરમાં વધુ એક ઓલોમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે અને તેનું ખાતમુર્હત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ ખાતમુર્હના કાર્યક્રમમાં કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો હાજરી આપશે. આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ખાતમુર્હતને લઇ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવાં આવી રહી છે.અમદાવાદ શહેરમાં 29મી મેં ના રોજ રવિવારે નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતમુર્હતને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો આવવાના હોવાથી તમામ કામગીરી ટેન્ડર કે ક્વોટેશન મંગાવ્યા વગર અનુભવી એન્જસીઓ પાસે કરાવવા પણ મંજૂરી માંગવામાં આવી છે.આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે અને ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના હોય ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત કરવામાં આવશે. કાર્યક્રમના સ્થળ પર ડેકોરેશન, એલ.ઈ.ડી. લાઈટ સાઉન્ડ સિસ્ટમ સહીતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવશે.કાર્યક્રમમાં ગ્રીન રમ અને વી.આઈ.પી લોન્જ તમામ વ્યવસ્થા ઉભી કરવાની સાથે આરોગ્યલક્ષી વ્યસ્થા પણ તંત્ર દ્વારા કરાઈ છે.
Trending
- 32 ધારાસભ્યો AAP છોડવા માંગે છે, કોંગ્રેસના દાવાથી પંજાબમાં હંગામો મચ્યો
- આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પરની ફિલ્મ છે, પાત્ર ભજવવા પર તેણે આ વાત કહી
- ભારત સામે હાર્યા પછી પણ પાકિસ્તાન સેમિફાઇનલની દોડમાં, હવે બાંગ્લાદેશનો સહારો
- શું જર્મનીની સત્તા ફ્રેડરિક મર્ટ્ઝના હાથમાં હશે? ચાન્સેલર બનવાનો માર્ગ લગભગ નિશ્ચિત થયો
- ભારત ગઠબંધનના આ મોટા નેતાઓ પણ મન કી બાતનો ભાગ બનશે, પીએમ મોદીએ તેમને નોમિનેટ કર્યા
- લીંબડી-રાજકોટ હાઇવે પર ડમ્પર અને મીની ટ્રાવેલર વચ્ચે અકસ્માત, 5 ના મોત, 10 થી વધુ ઘાયલ
- કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર, પીએમ મોદી આજે તેમના ખાતામાં પૈસા મોકલશે
- ભગવાન રામે પણ રાખ્યું હતું આ વ્રત, વાંચો વિજયા એકાદશીના વ્રતની કથા