અમદાવાદ ખાતે વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગુજરાતની 20 જેટલી શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, શિક્ષણ વિના રાજ્યનો વિકાસ શક્ય નથી.નરેન્દ્રભાઇએ કીધું છે કે, સમાજમાં બદલાવ લાવવો હશે તો શિક્ષણ દ્વારા જ શક્ય છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં સૌથી વધારે લોકભાગીદારીથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. વધુમાં તેમણેજણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ ચાલેલા શાળા પ્રવેશોત્સવમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં શાળામાં બાળકોનું નામાંકન થયું. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અનેક ભગીરથ કર્યો થઈ રહ્યા છે. આ સમારંભમાં શિક્ષણ વિભાગના સેક્રેટરી ડો. વિનોદ રાવ, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, સિદ્ધિ મીડિયા ગૃપના ચેરમેન મુકેશ પટેલ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સીટીના પ્રતિનિધિઓ સહિતના લોકો હાજરરહ્યા હતા. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને આગળ લઈ જવાની નેમ મુકી હતી અને કેટલીક મહત્વની વાતો પણ તેમણે આ પ્રસંગે શિક્ષણને લગતી શેર કરી હતી.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો