અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરાયા હતા. અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે દરિયાપુર, જમાલપુર, ખાડીયા વોર્ડમાં આવેલ હેરીટેજ મિલ્કતો દરિયાપુર દરવાજા, સીદ્દી સૈયદ ની જાળી,જુમ્મા-મસ્જીદ,રાણી ના હજીરા પાસે તથા પાંચકુવા દરવાજાની આજુબાજુ માં થયેલ દબાણો તેમજ દાણાપીઠ અ.મ્યુ.કો.ઓફીસથી ઢાલગરવાડથી પાનકોરનાકાથી ગાંધી ફૂવારાથી માણેકચોક સુધીના રસ્તા ઉપરના દબાણો તા.૨૪ મે ૨૨ના રોજ એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ દ્વારા ૩-દબાણ ગાડી તથા ખાનગી કોન્ટ્રાકટરના ૧૦-મજૂરોની મદદથી ૦૬-નંગ કોમર્શીયલ શેડ, ૦૩-નંગ સાદી લારી, ૦૧-નંગ લોખંડનું વ્હીલવાળું કાઉન્ટર, તેમજ ૧૯૪-નંગ પરચૂરણ માલ સામાન દૂર કરીને દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ છે. આ પહેલા પણ પૂર્વ વિસ્તારની અંદર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા બિનઅધિકૃત રીતે બાંધવામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં પણ બીયુ વગરના તેમજ બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર રસ્તાઓ પણ દબાણમાં આવતાં બિનઅધિકૃત બાંધકામ તોડી પાડી ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. આમ, આગામી દિવસોમાં પણ આવા પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.
Trending
- પાકિસ્તાનનું ગ્વાદર એરપોર્ટ ઉજ્જડ, ચીને તેને બનાવવા માટે અબજોનું રોકાણ કર્યું
- લખનૌમા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, 7 ફાયર એન્જિન દ્વારા આગ ઓલાવવામાં આવી
- આંગણવાડી ભરતીમાં ભ્રષ્ટાચાર, યોગીના મંત્રીએ પોતે પત્ર લખીને સત્યનો પર્દાફાશ કર્યો
- આ ૫૪ વર્ષમાં પહેલી વાર બન્યું,બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર થતા ભારત પર અસર
- પ્રયાગરાજ મહાકુંભમાં ન્યાયિક તપાસ પંચ પહોંચ્યું, મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડનું સત્ય જાણશે
- તેલંગાણા ટનલ અકસ્માત પર મંત્રીએ ખરાબ સમાચાર આપ્યા, અંદરથી કોઈ અવાજ નથી આવતો
- 32 ધારાસભ્યો AAP છોડવા માંગે છે, કોંગ્રેસના દાવાથી પંજાબમાં હંગામો મચ્યો
- આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પરની ફિલ્મ છે, પાત્ર ભજવવા પર તેણે આ વાત કહી