શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે સાંજે ૦૫ વાગ્યે કાલિદાસ સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રભારી કુલપતિ ડો. લલિત કુમાર પટેલ, મુખ્ય અતિથિ તરીકે નિકુંજ મહારાજ, વિશિષ્ટ ઉપસ્થિતિમાં ડો. હેડગેવાર સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વેરાવળના અધ્યક્ષ ઝવેરી ઠકરાર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફંડી રાજપરા, કુલસચિવ ડો. દશરથ જાદવ,યુનિવર્સિટી એકેડેમીક કાઉન્સિલના સભ્યો, સંચાલિત કોલેજ પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા, અધ્યાપકો અને કર્મચારીઓ તેમજ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓ દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રિ. ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે કાલિદાસ સપ્તાહમાં યોજાનાર કાર્યક્રમોની ભૂમિકા ડો. જીગર ભટ્ટ દ્વારા કરવામાં આવી. કાલિદાસ સપ્તાહની સાથે અંગ્રેજી ભાષાશિક્ષણ વર્ગનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેની માહિતી ડો. ભગવતીબેન ડાભીએ આપી હતી. ત્યારબાદ નિકુંજ મહારાજ શ્રીએ આશીર્વચન પાઠવ્યા હતાં. અધ્યક્ષ તરીકે ડો. લલિત કુમાર પટેલે કાલિદાસ અને તેમના સાહિત્યની પ્રશંસા કરતા આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા *મેઘદૂત* નું નૃત્યના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કાલિદાસ જીવન પરિચય પર નાટક ભજવવામાં આવ્યું. અંતે કુલસચિવ ડો. દશરથ જાદવે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં વેરાવળના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પંકજકુમાર રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંયોજક તરીકે ડો. પંકજકુમાર રાવલ, ડો. જીગર ભટ્ટ, ડો. કિરણ ડામોરે કામગીરી બજાવેલ.
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી