એકમ કસોટી રદ કરીને પુસ્તકની પ્રશ્ન બેંક આધારિત મુલ્યાંકન કરવાની વાત શિક્ષણ તંત્રમાં ચર્ચાનો વિષય ગાંધીનગર કોરોના કાળના બે વર્ષ માટે શાળાઓ બંધ રહ્યાં પછી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ શિક્ષણ તંત્ર જાણે ગોથે ચઢી ગયું છે. ઓનલાઇ શિક્ષણથી ત્રસ્ત બાળકો શાળામાં આવી ગયાં છે. પરંતુ પુસ્તકો પહોંચ્યા નથી. ત્યારે પહેલા એકમ કસોટીની જાહેરાત કરવા બાદ તેને રદ કરીને પુસ્તક આધારિત પ્રશ્ન બેંક આધારિત મુલ્યાંકન કરવાની વાત શિક્ષણ તંત્રમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.વર્ષ ૨૦૨૨માં શાળાઓ ખોલીને બાળકોને ઓફલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાની સાથે તેના માટેની નિયમિત પ્રક્રિયા કરવાનું અનિવાર્ય રહેશે. તેવી મહત્વની બાબત શિક્ષણ વિભાગ ચૂકી ગયાના પગલે અનેકવિધ ગોટાળાની શરૃઆત થિ ગઇ છે. શાળાઓ ધમધમતી થિ ગઇ તેને દોઢ મહિનો થવા છતાં શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા નથી. આ વાતની જાણકારી સ્વાભાવિક રીતે છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થી એને શિક્ષકથી માંડીને સચિવાલયમાં બેસતા શિક્ષણ વિભાગના મંત્રી તથા સચિવ સુધીના અધિકારીઓ જાણતા હોવા છતાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ પુસ્તકો શાળા સુધી પહોંચ્યા નહીં હોવાની વાતે હોબાળો થવાની સાથે એકમ કસોટી રદ કરી દેવામાં આવી હતી. એકમ કસોટી રદ કરવામાં આવ્યા બાદ પુસ્તકમાંથી પ્રશ્ન બેંક બનાવીને તેના જવાબો મેળવીને મુલ્યાંકન કરવાની વાત કરવામાં આવી પરંતુ છતાં મહાનુભાવો પુસ્તકોદરેક શાળામાં ઉપલબ્ધ નહીં હોવાની વાત ભૂલી ગયા. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રીતસરના દ્વિધામાં મુકાઇ ગયાં છે. દેરકના ચહેરા પર શું કરવું તે સવાલ દેખાઇ રહ્યો છે. હવે રાતો રાત પુસ્તકો પહોંચાડવામાં આવશે કે, મુલ્યાંકનને પાછળ ધકેલવામાં આવશે. તે જોવાનું રહેશે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર