નરસહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સેમેસ્ટરોના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોય છે. પરંતુ સમયસર પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ પણ પરેશાની અનુભવતા હોય છે. એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ માટે મે મહીનામાં પરીક્ષાનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પ૦૦ પણ ઓછા વિદ્યાર્થીઓને વિવિધ કોલેજમાંથી પોતાની પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષા લેવાય તેના બે માસ જેવો સમય વીતી ગયો હોવા છતાં હજુ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ બાબતે વિદ્યાર્થીઓએ એનએસયુઆઇમાં રજૂઆત કરી હતી. હાલ પરિણામને લઇને ઘણા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે. હાલમાં સીડીપીઓની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એમએસડબ્યુના વિદ્યાર્થી સેમે.-૪ પુર્ણ કર્યા હોય તેમની ટકાવારી માર્કસના આધારે તેની પસંદગી કરવાની હતી. પરંતુ આ વિદ્યાર્થીની કમનશીબી છેકે એમએસડબ્યુની પરીક્ષાને બે મહિને વીતી ગયા હોવા છતાં હજુ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જેને લઇને આ વિદ્યાર્થીઓ ભરતીથી વંચીત રહી ગયા છે. તે ઉપરાંત પોરબંદરમાં પણ કોલેજોમાં ભરતી સહીતની સામાજીક સંસ્થાઓમાં ભરતી સહીતની એમએસડબલ્યુ ફરજિયાત ડીગ્રી હોવાથી પરણિમના અભાવે યુવાન-યુવતીઓ તેમાં પણ ભરતી પામી શક્યા નથી. આ મુદ્દે પોરબંદર એનએસયુઆઇએ નરસહ મહેતના યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે અને વહેલી તકે પરિણામ જાહેર કરવા વિનંતી કરી છે.
Trending
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય
- હોળી પછી શુક્ર ગ્રહ ઉથલપાથલ મચાવશે, આ રાશિના જાતકોના જીવનમાં સારો બદલાવ જોવા મળશે
- 30 હજારથી ઓછી કિંમતમાં મળશે આ શક્તિશાળી લેપટોપ, ટોચની બ્રાન્ડ્સ આપે છે શાનદાર ઑફર્સ
- આ 5 શાક બનાવતી વખતે જરૂર અજમા નાખો , પેટમાં ગેસ નહીં થાય અને સ્વાદ પણ બમણો થશે!
- એલોન મસ્ક ઝેલેન્સકીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી, સર્વે પર ગુસ્સે થયા
- પાકિસ્તાને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી , લોન પર લોનને કારણે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં
- લોકસભા ચૂંટણીમાં અમેરિકાના હસ્તક્ષેપના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો , ભારત સરકાર હરકતમાં આવી