વેપારીઓને રાહત: નાના વેપારીઓને મળી મોટી રાહત 651 નંબર રીવોકેશન આપમેળે થશે પહેલાં કારણો મુજબની પરિપૂર્તિ કરવાથી સિસ્ટમમાંથી નંબર ચાલુ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં નાના વેપારીઓને મોટી રાહત મળી છે. કમ્પોઝિશન ટેક્સ તળે આવતા નાના વેપારીઓ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં ચૂક થાય તો તેઓના જીએસટી નંબર રદ્ કરવામાં આવતા હતા અને બાદમાં તેને પૂર્નજીવિત (રીવોકેશન) કરવા માટે જીએસટી કચેરીઓના ધક્કા, કર્મચારીઓના ભ્રષ્ટાચાર સહિતની બાબતોમાંથી પસાર થવું પડતુ હતુ. પરંતુ હવે નાના વેપારીઓ માટે કમ્પોઝિશન ટેક્સ તળેના નાના વેપારીઓએ 3 મહિના અને રેગ્યુલર જીએસટી કરદાતાએ 1 મહિનામાં નિયત રિટર્ન ફાઇલ ન કર્યું હોય તો તેઓના નંબર સસ્પેન્ડ કરવામાં આવતા હતા, અને નિયત સમય મર્યાદામાં ખુલાસા કરવામાં નિષ્ફળ રહે તો નંબર રદ્ પણ કરવામાં આવતા હતા. નંબર રીવોકેશન માટે નાના કરદાતા જીએસટી કર્મચારીઓ સમક્ષ કચેરીમાં જાય ત્યારે તેઓને સંતોષકારક જવાબ મળતા નથી, માર્ગદર્શન અપાતુ નથી, અને ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવવા આડતરા સંકેતો આપવામાં આવતા હતા. પરંતુ હવે નાના વેપારીઓને નંબર સસ્પેન્શન અંગે નોટિસ પાઠવવામાં આવે તો, તમામ રિટર્ન લાદવામાં આવેલી પેનલ્ટી સહિત ફાઇલ કરી દેવામાં આવે તો સીસ્ટમ દ્વારા જ ઓટોમેટિક રીતે તેઓના નંબર રીવોકેશન થઇ જશે, તેના માટે નાના કરદાતાઓએ જીએસટી કચેરીના પગથીયા ઘસવા હવે જરૂરી નથી અને અધિકારીઓની લાચારી પણ નહીં કરવી પડે.
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી