આગામી મહિનાથી નાની બચત યોજનાઓ (SSC) પર વ્યાજ દર 0.5 થી 0.75 ટકા વધી શકે છે. સરકાર આ મહિનાના અંત સુધીમાં આ અંગે નિર્ણય લેશે. આ સાથે, આ યોજનાઓમાં વધુ રોકાણકારો આવી શકે છે અને સરકારને વધુ વ્યાજ ચૂકવવા માટે વધારાના ઋણ લેવાની જરૂર ઓછી પડશે.તેના પરના વ્યાજ દરો છેલ્લા 2 વર્ષથી (એપ્રિલ, 2020) બદલાયા નથી. રેટિંગ એજન્સી ઈકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આ યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. કારણ કે સરકારી સિક્યોરિટીઝના વ્યાજદરમાં વધારો થયો છે.આ કારણે સરકારે આપવું પડશે વધુ વ્યાજICICI બેંકના ચીફ ઇકોનોમિસ્ટ સમીર નારંગનું કહેવું છે કે સરકાર બજારમાંથી જે ઉધાર લે છે તેના પર 7 ટકાથી વધુ વ્યાજ હોય છે. આવી સ્થિતિમાં તેણે નાની બચત યોજનાઓ પર વધુ વ્યાજ ચૂકવવું પડશે. નાની બચત યોજનાઓમાં, સુકન્યા સમૃદ્ધિ યોજના પર સૌથી વધુ વ્યાજ મળે છે, જે 7.6 ટકા છે.0.5થી 0.75 % સુધી વધી શકે છે વ્યાજઅર્થશાસ્ત્રીઓનું માનવું છે કે નાણા મંત્રાલય આવતા મહિનાથી આ યોજનાઓના વ્યાજ દરોમાં 0.5 થી 0.75 ટકાનો વધારો કરી શકે છે. ICICI બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી સમીર નારંગનું કહેવું છે કે સરકારના ટ્રેઝરી બિલનું એક વર્ષનું વ્યાજ લગભગ 6.23 ટકા છે.
Trending
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી