રાજકોટ શહેરમાં બુધવારે એકસાથે 17 કેસ આવ્યા બાદ બીજા જ દિવસે ગુરુવારે વધુ 15 કેસ નોંધાયા છે. આ કારણે એક્ટિવ કેસનો આંક વધીને 57 થયો છે. જ્યારે કુલ પોઝિટિવનો આંક 63833 નોંધાયો છે. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર જે 15 કેસ આવ્યા છે જેમાં માધાપર વિસ્તારના સુંદરમ સિટીમાં રહેતા 33 વર્ષના યુવાન દ્વારકાથી આવ્યા હતા વધુ તપાસમાં તેઓ એક દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. જ્યારે વોર્ડ નં. 13ના રામેશ્વરપાર્કમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ દાર્જિલિંગથી આવ્યા બાદ બીમાર પડતા ટેસ્ટ કરાવતા કોરોના હોવાની પુષ્ટિ થઈ છે. આ સિવાય અમીન માર્ગ અને આલાપ એવન્યુમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે દર્દીને ચેપ લાગ્યો છે. આ સિવાય એકપણ દર્દીની કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી. જે વિસ્તારમાં કેસ નોંધાયા તેમાં મોરારિનગર વોર્ડ નં. 17, જાગનાથ પ્લોટ વોર્ડ નં. 7, પંચવટી હોલ પાસે વોર્ડ નં. 8, મવડી ગામ વોર્ડ નં. 11, અમીનમાર્ગ, સુંદરમ સિટી માધાપર, આલાપ એવન્યુ વોર્ડ નં. 10, બેડીપરા, રામધામ સોસાયટી વોર્ડ નં. 11, રામેશ્વર પાર્ક વોર્ડ નં. 13, જંક્શન પ્લોટ, વર્ધમાનનગર માધાપર, શ્યામનગર વોર્ડ નં. 1, ગૌતમનગર વોર્ડ નં. 1, બાબરિયાનો સમાવેશ થાય છે.
Trending
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત
- રવિના ટંડને સમૂહ લગ્ન સમારોહમાં એક યુગલને પોતાના લગ્નના બંગડી ભેટમાં આપ્યા