ભારત અને ઈંગ્લેન્ડ 12 જુલાઈના રોજ રમાયેલી પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડના 4 બેટ્સમેન ઝીરો રન પર આઉટ થઈ ગયા હતા. એટલું જ નહીં ઈંગ્લેન્ડ ઉપરાંત ડબલિનમાં રમાયેલી આયરલેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ દરમિયાન 5 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચમાં જેસન રોય (0), જો રુટ (0), બેન સ્ટોક્સ (0) અને લિવિંગસ્ટોન (0) એવા બેટ્સમેન રહ્યા જે પોતાનું ખાતું પણ નહોતું ખોલીવી શક્યા. આ મેચમાં ભારતે 10 વિકેટથી જીત મેળવી હતી. ડબલિનમાં રમાયેલી બીજી ODI (આયર્લેન્ડ vs ન્યુઝીલેન્ડ, 2જી ODI) મેચમાં આયર્લેન્ડના 3 બેટ્સમેન પોલ સ્ટોલિંગ, ક્રેગ યંગ અને જોશુઆ લિટલ ડક પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ ન્યુઝીલેન્ડ તરફથી માર્ટિન ગપ્લિટ અને વિલ યંગ પોતાનું ખાતું પણ નહોતા ખોલી શક્યા. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 3 વિકેટથી જીત મેળવી હતી. પરંતુ આ આંકડાને જોતા એવું કહી શકાય કે, 12 જુલાઈ 2022નો દિવસ બેટ્સમેનો માટે કાળ બનીને આવ્યો હતો.એક જ દિવસમાં ક્રિકેટ રમતમાં 9 ખેલાડી 0 રન પર આઉટ થવાનો આ રેકોર્ડ ઇતિહાસના પાનોમાં સમાઈ ગયો છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો