એનસીપી નેતા શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સિંહાના નામ પર સર્વસહમતિ સધાઈ હતી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર, નેશનલ કૉન્ફરન્સના ફારુખ અબ્દુલ્લાહ તથા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના ઇન્કાર બાદ તૃણમુલ કૉંગ્રેસના નેતા યશવંત સિંહા વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા તૈયાર થઈ ગયા છે. મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે સિંહાના નામનો સ્વીકાર કર્યો છે. એનસીપી નેતા શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સિંહાના નામ પર સર્વસહમતિ સધાઈ હતી. સિંહાએ તેમના સાર્વજનિક જીવનની શરૂઆત આઈએએસ અધિકારી તરીકે કરી હતી. તેઓ વાજપેયી સરકારમાં વિદેશમંત્રી તથા નાણામંત્રી પણ રહ્યા હતા. મોદી-શાહની બીજેપીમાં માફક ન આવતાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો હતો. જોકે, ગત વર્ષે તેઓ તથા પૂર્વ ભાજપી નેતા શત્રુઘ્ન સિંહા મમતા બેનરજીની તૃણમુલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. વિપક્ષના મતે સિંહા “રાષ્ટ્રપતિપદે નિર્વિરોધ ચૂંટાવાને પાત્ર ઉમેદવાર” છે, પરંતુ ભાજપ દ્વારા વિપક્ષના ઉમેદવારને સ્વીકારવામાં આવે તેવી શક્યતા નહિવત્ હોય 18 જુલાઈએના મતદાન થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો