માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે દેડીયાપાડા, સાગબારા અને ગરૂડેશ્વર તાલુકાઓના અંદાજે રૂ. ૧૫.૮૦ કરોડની રકમના કુલ-૪ મુખ્ય પૂલોના ખાતમુહૂર્ત દરમિયાન મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે આદિવાસી દિકરી રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ હોદ્દાની ઉમેદવારી માટે પસંદગી પામે તે સમગ્ર આદિવાસી સમાજ માટે સન્માન અને ગૌરવની વાત છે. તેના થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વને અનોખો સંદેશો પાઠવ્યો છે. દેડીયાપાડા બાદ બીજા તબક્કામાં ગરૂડેશ્વર તાલુકાના જેતપુર ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા જેતપુર પીંછીપુરા રોડ પરના રૂ. ૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારા પુલનું ખાતમુહૂર્ત અને રૂ. ૧.૩૯ કરોડના ખર્ચે વેલછંડી એપ્રોચ રોડ તથા મીઠીવાવ વાંઝણીતાડ બખ્ખર રોડના રિસર્ફેસિંગના લોકાર્પણ પ્રસંગે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગરૂડેશ્વર એ ભારતવર્ષનું ઐતિહાસિક સ્થળ છે. ત્યારે અહીંના વિસ્તારમાં વસતા આદિવાસી અને ગરીબ પરિવારના લોકો પણ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી ઝુંબેશમાં રસ્તાની પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. રસ્તા અને વિજળી એ માનવીની પ્રગતિનું પ્રથમ પગથીયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકાર દ્વારા ગરીબ લોકો કેવી રીતે સમૃદ્ધ થાય તે દિશામાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ગામેગામ રસ્તાઓ બનતા ટ્રાન્પોર્ટેશનની સુવિધા પણ વધી છે. જેનાથી અંતરિયાળ વિસ્તારના ખેડૂતો પોતાની ખેત પેદાશોને દૂર-સુદૂર સુધીના વિસ્તારોમાં પહોંચાડતા થયા છે તેમ વધુમાં ઉમેર્યું હતું.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો