હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી નાં કન્વેન્શન હોલ ખાતે બુધવારે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમા કેન્દ્ર સરકાર જ્યારે સુશાસન નાં 8 વર્ષ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ માં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ યોજના નાં લાભાર્થી ઓ સાથે સંવાદ કરી ને તેમને મળેલાં લાભો જાણવા નો પ્રયત્ન કર્યો હતો. સંવાદ કાર્યક્રમ માં સરકાર ની 13 ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે પૈકીના દરેક યોજનાના બે લાભાર્થી ઓ સાથે આરોગ્યમંત્રી એ સીધો સંવાદ કર્યો હતો. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક તાલુકા માં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની હવે વિચારણા કરી રહી છે. 8 વર્ષમાં સરકારે નવા આયામો સર કર્યા છે. અને વિકાસને વેગ આપ્યો છે. દેશનાં વડાપ્રધાન ગુજરાતને હંમેશા આગળ રાખે છે. ગરીબ અને જરૂરીયાતમંદની સેવા એ જ સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા રહી છે. કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, કિશોરભાઈ મહેશ્વરી કલેક્ટર સહિતના હાજર હતા.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો