સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 536 કરોડની પાણી પુરવઠા યોજનાઓ નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના પગલે સાબરકાંઠા ના બે શહેર સહિત 419 ગામોના 17 લાખથી વધારે લોકો ના પીવાના પાણીની સમસ્યા હલ થનાર છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 136 કરોડની પાણી પુરવઠાની ખેડબ્રહ્મા જૂથ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમજ ૪૦૦ કરોડથી વધારેની રકમ અંતર્ગત 419 ગામ સુધી પાણીની સુવિધા પહોંચાડવા માટેની યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ખેડબ્રહ્મા વિસ્તારમાં ૨૩ મીટર પ્લાન્ટ તેમજ 180 ભૂગર્ભ સંપ તેમજ 180 ટાંકી તેમજ 381 કિલોમીટર પાઇપલાઇન પૂર્ણ થયાના પગલે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ મુખ્યપ્રધાનના હસ્તે વણજ ડેમ સહિત ૬૧ એમએલડી ક્ષમતાના 3 ફિલ્ટર પ્લાન્ટ સહિત 175 સંપ અને ૮૪૧ કિલોમીટર લાંબી પાઈપલાઈન થકી ખેડબ્રહ્મા વિસ્તારના તમામ ગામડાઓને દૈનિક પીવાનું પાણી મળી રહે તે પ્રકારે આયોજન અંતર્ગત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સામાન્ય રીતે ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગર વિસ્તાર માં જંગલ સહિત ડુંગરાળ પ્રદેશોના પગલે સરળતાથી પાણી પહોંચાડવું શક્ય ન હોવાના પગલે વહિવટી તંત્ર દ્વારા પાઇપલાઇનથી છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવા માટેનું આયોજન હાથ ધરાયું છે જે અંતર્ગત બોલતા ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા છેવાડાના વ્યકતિને સુખાકારી જીવન માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરવામાં તેમજ આગામી સમયમાં પણ કરવામાં આવશે આ તબક્કે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા વિસ્તારમાં આજનો દિવસ ખૂબ મહત્વનો બનશે તેમજ આગામી સમયમાં પણ આજની વિવિધ યોજનાઓથી છેવાડાના વ્યકતિને અનેક ઘણો લાભ થશે સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા વિસ્તારના તમામ ગામડાઓને પ્રતિદિવસ 200 લીટર પાણી સરળતાથી મળી રહે તે માટેનું આયોજન કરાયું છે તેમજ આ આયોજનથી સ્થાનિક વિસ્તારનો વિકાસ હવે સંપૂર્ણપણે સંભવ બનશે ને નક્કી છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો