સમર ઈન્ડકશન વર્કશોપ ગીર સોમનાથ જિલ્લાની આઠ કોલેજો દ્વારા સમર ઈન્ડકશન વર્કશોપનું આયોજન વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી ગીર સોમનાથ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન નીચે સમર ઈન્ડક્શન કેમ્પ હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જિલ્લાની આઠ કોલેજોએ ભાગ લીધો હતો . આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . જિલ્લાની તાલાલા ગીરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગીર સોમનાથ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ વર્કશોપનું આયોજન કરાયું હતું . જેમાં 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો હતો . આ તકે મનુસિંહ પરમાર , કમલેશ પામક તેમજ ગુજકોસ્ટના ટીમના ટ્રેનર્સે પણ હાજર રહી તમામ વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી . આ સાથે લોક વિજ્ઞાન કેન્દ્ર નરેશભાઈ અને વિજય કોટડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોમનાથ ગુરુકુળના સ્વામીજી ભક્તિ પ્રસાદ દ્વારા ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું . જ્યારે પાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ તેમના ઇનોવેશન પરના વિચારો વ્યક્ત કર્યા હતા . જ્યારે ગીર સોમનાથના સમાજસુધારક ચંદ્રપ્રકાશ ભટ્ટ અને કોળી સમાજના પ્રમુખે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું . આ વર્કશોપમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નર એન નાગરાજન , ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત કમિશ્નર મધુસર તેમજ એસ એસ એસએસઆઈપીની સમગ્ર ટીમ , જીએસીસી તાલાલા ગીરના પ્રો ડેનિશ લાડાણી , આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર એન આર દેસાઈ કો – ઓર્ડીનેટર પ્રોફેસર ધર્મેશ પી વાવૈયા વગેરે હાજર રહ્યા હતા
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો