



Gujarat Corona Cases 3 November 2020: નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું.

ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 155, અમદાવાદ કોર્પોરેશનમાં 154, વડોદરા કોર્પોરેશનમાં 68, સુરતમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 41, પાટણ-વડોદરામાં 40-40, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, રાજકોટમાં 23, સાબરકાંઠામાં 21, નર્મદામાં 20, અમરેલી-પંચમહાલમાં 19-19, જામનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ-ગાંધીનગરમાં 14-14 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.