Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત ધાર્મિક બ્રેકીંગ ન્યૂઝ

આજે લીંબડીમાં 500થી વધુ સંતોનું મહાસંમેલન દેશભરના સંતો રહેશે હાજર જાણો વિશેષ માહિતી

સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે જ્યારે બાકીના અન્ય મુદ્દાઓને લઈને ભારતભરના સંતો આજે સુરેન્દ્રનગરના લીમડી મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે ઉપસ્થિત રહેશે.

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

સારંગપુર હનુમાન મંદિર વિવાદિત ભીંત ચિત્રોને લઈને ગતરોજ અમદાવાદ ખાતે લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોની બેઠક મળેલી

જેમાં કુલ 12 માગણીઓ રજૂ કરવામાં આવેલી તેમાંથી માત્ર વિવાદવાળા ભીંત ચિત્રો દૂર કરવાની સંમતિ સધાઈ  હતી

જ્યારે બાકીના અન્ય મુદ્દાઓને લઈને ભારતભરના સંતો આજે સુરેન્દ્રનગરના લીમડી મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે ઉપસ્થિત રહેશે.

ગતરોજ અમદાવાદ મધ્યે યોજાયેલ સંમેલનમાં વિવિધ મહંતો ઉપસ્થિત રહેલ જેમાંઅમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, અમદાવાદ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ, લિંબડીના નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના લાલદાસ બાપુ , વડોદરાના જ્યોર્તિનાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, નાની કુંડળના અવધબિહારી દાસજી, શ્રી ભગવાન પરમગુરૂ કરૂણા મંદિરના મહંત નિશ્ચલદાસજી, ગીરનારી આશ્રમના સાધ્વી ગીતાદીદી, જૂનાગઢના શેરનાથ બાપુ આદિ અનેક મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

સરકારની દરમિયાનગીરીથી સારંગપુર વિવાદ નો અંત મોડી રાત્રે વિવાદિત ચિત્રો હટાવાયા

આજનું સંમેલન સુરેન્દ્રનગર લીમડી ના મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે

જેમાં સનાતન ધર્મના 500 થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે અને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા યોજાશે

સંતસંમેલનમાં સાધુ- સંતોની અન્ય માંગણીઓ મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે. આ સંત સંમેલનમાં દેશભર માંથી સંતો- મહંતો હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે.

લિંબડી મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ દ્ધારા આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સંમેલનમાં ન માત્ર ગુજરાત પણ દેશભરમાંથી સાધુ-સંતો અને મહામંડલેશ્વરો હાજર રહેશે.

મોટી સંખ્યામાં સાધુ- સંતો રાત થી જ લીંબડી પહોંચી ચૂક્યા છે.

લિંબડી મોટા મંદિરના સંત લાલદાસ બાપુની આગેવાનીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews

Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagramhttps://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

દિયોદર પ્રાંત કચેરી ખાતે તાલુકાના સરપંચો સાથે મીટીંગ યોજાઇ Diyodar

Shanti Shram

સુરત નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં એક સમયે ૨૦૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા આજે સંખ્યા  બે આંકડામાં આવતા રાહત.

Shanti Shram

ધડાધડ ખૂલી રહેલા જીમને જોઈને AMC એ આપ્યો આદેશ, જીમ ખુલશે તો કાર્યવાહી થશે

ShantishramTeamA

COVID-19 રસી લેતા પહેલા આટલું જાણજો…

Shanti Shram

દિલ્હી મધ્યે પૂ.આ.શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા.(કે.સી.)ની પાવનનિશ્રામાં ઉપધાન તપ મુહુર્ત પદાર્પણ તથા ૧૬ ઉપવાસના પારણા યોજાયા

Shanti Shram

રાજ્યના આ વિસ્તારોમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી…