Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ રમતો રાષ્ટ્રીય

BCCI એ અમદાવાદ અને ઈન્દોર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ની કરી જાહેરાત

BCCI એ અમદાવાદ અને ઈન્દોર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ની કરી જાહેરાત

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ બંને મેચ સમાપ્ત થઈ ચુકી છે. દિલ્લીમાં રમાયેલી ટેસ્ટ મેચનુ પરીણામ રવિવારે ત્રીજા દિવસે સામે આવ્યુ હતુ. આમ ભારતે બંને ટેસ્ટ મેચ જીતીને લઈને ટ્રોફી પર કબ્જો જમાવી લીધો છે.

હવે સિરીઝની બાકીની ટેસ્ટ મેચ પૈકી ત્રીજી ઇન્દોરમાં અને ચોથી અમદાવાદમાં રમાનારી છે. આ બંને ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીની બીસીસીઆઈએ રવિવારે જ જાહેરાત કરી હતી.

ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં હવે ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાનો ઈરાદો રાખે છે. ભારતે સિરીઝમાં 2-0 થી અજેય લીડ બનાવી લીધી છે અને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. પ્રથમ બંને ટેસ્ટમા વિજયી રહેલી ટીમને જાળવી રાખવામાં આવી છે.

ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવા સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પાકી કરી લેવા પર છે.

વિજય મેળવનારી સ્ક્વોડ જાળવી રખાઈ છે.

કેએલ રાહુલને આગળની બંને ટેસ્ટ મેચ માટે ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. રાહુલની રમત હાલમાં નિરાશ કરનારી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બંને મેચમાં કેએલ રાહુલે નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે.

આમ છતાં ભારતીય ક્રિકેટ ટીમની સિનિયર સિલેક્શન સમિતિએ રાહુલને અંતિમ બંને ટેસ્ટ માટે યથાવત રાખ્યો છે.

 

સિરીઝની પ્રથમ બંને ટેસ્ટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છવાયેલો રહ્યો હતો. જાડેજાએ દિલ્લી અને નાગપુર બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી સર્જી હતી.અક્ષર પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

તેણે શરુઆતની બંને ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં ટીમની જવાબદારી સ્વિકારીને રમત દર્શાવી હતી. તેણે મુશ્કેલીઓને ટાળવા સમાન રમત રમી હતી.

ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

આજે ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓનું ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમા રાજકોટ જિલ્લાનો 72.86% પરિણામ આવ્યું છે

Shanti Shram

આદેશ પેટ્રોલ કે ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ ન કરવા કલેકટરની તાકીદ  પેટ્રોલ પંપ એસો. તથા ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ સાથે કલેક્ટરની બેઠક જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલના પુરવઠાની અછત અંગેના સમાચાર

Shanti Shram

પેટાચૂંટણીમાં લેબર પાર્ટીની પ્રચાર સામગ્રી પર મોદીની તસવીરથી હંગામો

અમદાવાદ ખાતે આવેલ માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન ની નવીન કારોબારીની નિમણુક કરાઇ.  

Shanti Shram

કોંગ્રેસના વધુ બે નેતા ભાજપમાં જોડાયા, ખુમાનસિંહ વાસીયા અને દલપત વસાવાએ કેસરિયો ખેસ ધારણ કર્યો

Shanti Shram

આગામી સપ્તાહથી રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો, જાણો ક્યું શહેર સૌથી વધારે ઠંડુગાર રહ્યું

Shanti Shram