Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

ગાંધીનગર મનપા તથા યોગી બસ દ્વારા સોમવારથી શ્રાવણ માસમાં ૧૪ ધાર્મિક સ્થાનોએ નજીવા દરે દર્શન કરાવાશે.

ગાંધીનગરના નાગરિકો આનંદો: ગાંધીનગર મહાનગરપાલિકા તથા યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા.લી.ના સંયુક્ત ઉપક્રમે તા. ૧ ઓગસ્ટ ૨૦૨૨, સોમવારથી દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગર તથા આસપાસના સુપ્રસિદ્ધ ૧૪ જેટલા ધાર્મિક સ્થાનોએ બસ મારફતે નજીવા દરે દર્શનાર્થે લઇ જવાની ખાસ વ્યવસ્થા શરૂ કરાશે.ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન દ્વારા પ્રવાસ દરમિયાન નાગરિકો માટે બપોરના ભોજન અને સાંજની ચા ની વ્યવસ્થા નિઃશુલ્ક ધોરણે કરવામાં આવશે.સવારે ૮:૧૫ થી સાંજે ૪:૩૦ સુધીમાં નાગરિકોને ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થે લઈ જવાશે. પૂખ્ત વયના પ્રવાસી રૂ. ૬૦ અને બાળકો તેમજ સિનિયર સીટીઝન ટિકિટ રૂ. ૩૦ની ટીકીટ સાથે પ્રવાસ કરી શકશે. આ સુવિધા સીટી બસ સ્ટોપ, સેક્ટર- ૬થી ઉપલબ્ધ થશે.ગાંધીનગરના નાગરિકોને પવિત્ર શ્રાવણ માસમાં આ ધાર્મિક પ્રવાસનો મહત્તમ લાભ લેવા અપીલ કરતા મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલ તેમજ મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા.ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં તા.૧ ઓગસ્ટ ૨૦૨૨, સોમવારથી ગાંધીનગર મહાનગરપાલિકા તથા યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા. લી.ના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને ગાંધીનગર તથા આસપાસના ૧૪ ધાર્મિક સ્થાનોએ બસ મારફતે નજીવા દરે દર્શનાર્થે લઇ જવાની ખાસ વ્યવસ્થા શરૂ કરાશે જેમાં વાસણીયા મહાદેવ-વાસણ, ગોગા મહારાજ- ઉનાવા, ગાયત્રી મંદીર-માણસા, ઉમિયા મંદિર- માણસા, અસુદેવ મહાદેવ – જામળા, અક્ષરધામ મંદિર, પંચદેવ મંદિર- સેક્ટર -૨૨, જલારામ મંદિર – સેક્ટર ૨૯, સ્વામિનારાયણ મંદિર સેક્ટર–૨, ધોળેશ્વર મહાદેવ, વૈષ્ણોદેવી મંદિર, ત્રિમંદિર, રૂપાલનું ઐતિહાસિક વરદાયિની માતાનું મંદિર, જૈન તીર્થ ધામ મંદિર- મહુડી સહિતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે ૮:૧૫ થી સાંજે ૪:૩૦ સુધીમાં નાગરિકોને ગાંધીનગર તથા આસપાસના ઉપરોક્ત ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થે લઈ જવાશે. પુખ્ત વયના પ્રવાસી રૂ. ૬૦ અને બાળકો તેમજ સિનિયર સીટીઝન ટિકિટ રૂ. ૩૦ની ટીકીટ સાથે પ્રવાસ કરી શકશે. આ સુવિધા સીટી બસ સ્ટોપ, સેક્ટર- ૬થી ઉપલબ્ધ થશે.આ ધાર્મિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન દ્વારા બપોરના ભોજન અને સાંજની ચા ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે.પવિત્ર શ્રાવણ માસના અનુસંધાને ગાંધીનગરના નાગરિકો એક જ દિવસમાં સરળતાથી આયોજનબદ્ધ રીતે શહેરના તથા આસપાસના પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોના દર્શન કરી શકે તે માટે મહાનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ સ્ટે. કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક યાત્રા શરૂ થવા જઈ રહીં છે ત્યારે મહાનગર ભાજપા સંગઠનના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ તેમજ મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાગરિકોને યાત્રા દરમિયાન બપોરના ભોજન તથા ચા ની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે ત્યારે તેઓગાંધીનગરવાસીઓને આ ધાર્મિક પ્રવાસનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી છે તેમજ ગાંધીનગરમહાનગરપાલિકા અને મહાનગર ભાજપા સંગઠન આ ધાર્મિક પ્રવાસમાં સૌ નગરજનોને આવકારવા તત્પર છે તેમ જણાવ્યું છે.

संबंधित पोस्ट

આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ નારણપુરમાં 584 કરોડના ખર્ચે તૈયાર થશે

shantishramteam

1979 માં પણ રોકેટ ભારત પર ત્રાટકવાનું હતું, જાણો આખી ઘટના

shantishramteam

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Admin

ગુજરાત રાજ્ય સહકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર-ભરૂચ વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ કરાવાયો

Shanti Shram

સેમસંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર, આપી રહ્યા છે મોટું ડિસ્કાઉન્ટ…..

shantishramteam

ખાલી પેટ ખાવાથી ઘટી શકે છે ડાયાબિટીસનું જોખમ, જાણો શું કહે છે રિસર્ચ…

shantishramteam