Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

વાપીની KBS કોલેજના ટ્રસ્ટી પરિવારોના 3 સભ્યોનું કોરોના કાળમાં અકાળે નિધન થયા બાદ તેની પુણ્યતિથીએ ત્રિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન

વાપીમાં આવેલ KBS કોલેજમાં કોરોના કાળમાં જુલાઈ 2020માં એક જ મહિનામાં સદગત થનાર ઉદ્યોગકાર અને દાનવીર શાંતિલાલ ખીમજીભાઈ શાહ, હંસાબેન અમરતલાલ શાહ, અમરતબેન સોમચંદભાઈ શાહની સ્મૃતિ માં વાપીનાં શાહ પરિવાર, લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર અને KBS કોલેજ નાં સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિર માં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રક્તદાન કર્યું હતું. તો, એ સાથે શાહ પરિવાર દ્વારા સામાજિક કાર્ય માટે 22 ગરીબ બહેનો પગભર થઈ શકે, સીવણ થકી પરિવારને મદદરૂપ થઇ શકે તે આશયથી નિઃશુલ્ક સિલાઈ મશીન આપવામાં આવ્યાં હતાં. જે અંગે એ. કે. શાહે જણાવ્યું હતું કે મહિલાઓ પગભર બને તે માટે તેમના પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવા ના કાર્ય કરવામાં આવે છે. આ 22 મહિલાઓ ઉપરાંત અન્ય ગરીબ મહિલાઓને પણ જો સિલાઈ મશીનની જરૂર હશે તો તે પણ પુરી કરવામાં આવશે. શાહ પરિવાર દ્વારા 3 સભ્યોની પુણ્યતિથિ નિમિત્તે કોલેજમાં નવી લાયબ્રેરી શરૂ કરી કોલેજના વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન મળે તે માટે 20 જેટલા ભગવદ્દ ગીતાના પુસ્તકો પણ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતાં. સભ્યોની પુણ્યતિથિએ આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં KBS કોલેજના ટ્રસ્ટીઓ, એ. કે.શાહ, પ્રવિણાબેન શાહ, કાંતિલાલ શાહ, કમલાબેન શાહ, રાજેશ શાહ, હિતેશ શાહ, દર્શીતાબેન શાહ સહિત પરિવારના મોભીઓ, સભ્યો ઉપરાંત લાયન્સ ક્લબના સભ્યો, કોલેજના આચાર્ય, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ KBS કોલેજના NSS ગ્રુપ, પ્રવીણા શાંતિલાલ શાહ PG સેન્ટર, લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ ઉદ્યોગનગર અને KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યાં હતાં.

Advertisement

संबंधित पोस्ट

મોરબીના રાજપર રોડ પર લાખોના દારૂ પ્રકરણમાં ૧૩ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

Shanti Shram

ઇઝરાયેલના PMએ માન્યો 25 દેશોનો ઇઝરાયેલ સાથે ઉભા રહેવા આભાર, ભારતને અવગણ્યું

shantishramteam

દિયોદર નું ગૌરવ ડોક્ટર વિશાલ સોની !!! માનનીય ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ દ્વારા times of india ” Emerging Icons of gujarat 2020″ નો એવોર્ડ ડોક્ટર વિશાલ સોની ને આપવામાં આવ્યો

Shanti Shram

‘તૌક-તે’એ કેરી ના પાક પર પાણી ફેરવ્યું:ભારે પવનથી કેરીઓ ખરી પડતાં તાલાલાના ખેડૂતોને ભારે નુકસાન થવાની આશંકા

shantishramteam

પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી શીલરત્ન વિજયજી મહારાજ સાહેબની સુરી પદની પદવી કાંકરેજ તાલુકાના રૂની તીર્થ યોજાશે

Shanti Shram

આદ્યશક્તિ ધામ અંબાજીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૩૩ ગરીબ વંચિત પરિવારોને પોતીકા આવાસ માટે મળી વિનામૂલ્યે જમીન

Shanti Shram