Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

Investment / તમને સેવિંગ બેંક એકાઉન્ટ પર 7 ટકા સુધી જોઈએ રિટર્ન? આ સ્મોલ ફાઈનેન્સ બેંકમાં કરો રોકાણ

છેલ્લા કેટલાક વર્ષોમાં માર્કેટમાં જોખમ (Market Risk) નો સમયગાળો રહ્યો છે. તેના પછીથી લોકો માર્કેટ રિસ્કને લગતા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળી રહ્યા છે. જો તમે પણ શેર બજારમાં (Share Market) રોકાણ કરવાને બદલે બેંકમાં રૂપિયા રોકવા માંગતા હોવ તો કેટલીક નાની ફાઇનાન્સ બેંકો તેમના સેવિંગ એકાઉન્ટ (Small Finance Banks Saving Account) પર વધુ સારું રિટર્ન આપી રહી છે. સામાન્ય રીતે મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકો સેવિંગ એકાઉન્ટ (Saving Account) પર 3 થી 4 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જ્યારે કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકો તેમના ગ્રાહકોને તેમના સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું રિટર્ન આપી રહી છે. આ સ્મોલ ફાઇનાન્સ બેંકો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, એયુ બેંક અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક છે. તો ચાલો તમને આ ત્રણ બેંકો દ્વારા બચત ખાતા પર ઉપલબ્ધ વ્યાજ દર વિશે જણાવીએ-

ઈક્વિટાસ સ્મોલ ફાઈનેન્સ બેંક (Equitas Small Finance Bank)

Advertisement

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને તેના બચત ખાતા પર 7 ટકા સુધી વ્યાજ દર ઓફર કરે છે. તમને 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પર 3.50 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે. જ્યારે 1 થી 5 લાખ રૂપિયાની થાપણો પર 6.00 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. બીજી તરફ તમને 5 લાખથી 2 કરોડ રૂપિયાની થાપણો પર 7.00 ટકા વ્યાજ મળશે. જ્યારે 2 કરોડથી વધુની થાપણો પર 5.50 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

એયુ બેંક (AU Small Finance Bank)

Advertisement

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને સેવિંગ બેંક એકાઉન્ટ પર 7 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. 1 લાખથી ઓછી ડિપોઝીટ પર 3.50 ટકા વ્યાજ આપવામાં આવે છે. 1 થી 10 લાખ રૂપિયાની થાપણો પર 5.00 ટકા, 10 લાખથી 25 લાખ રૂપિયાની થાપણો પર 6.00 ટકા અને 25 લાખથી 1 કરોડ રૂપિયાની ડિપોઝિટ પર 7.00 ટકાના દરે વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

ઉજ્જીવન સ્મોલ ફાઇનેન્સ બેંક (Ujjivan Small Finance Bank)

Advertisement

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરે છે. 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પર તમને 3.50 ટકા વ્યાજ મળે છે. જ્યારે 1 થી 5 લાખ રૂપિયાની ડિપોઝિટ પર 6 ટકા વ્યાજ મળે છે. જ્યારે 5 લાખથી 1 કરોડની થાપણો પર 7 ટકા, 1 કરોડથી 10 કરોડની થાપણો પર 6 ટકા અને 10 કરોડથી વધુની ડિપોઝિટ પર 6.75 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

Advertisement

संबंधित पोस्ट

અદાણી પરિવાર વતનની વ્હારે : થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ ૦૪-૦૪-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

ગુજરાત રાજ્ય સહકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર-ભરૂચ વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ કરાવાયો

Shanti Shram

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સુધારેલી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના દરોની યાદી ધરાવતું ફાઇનાન્સ બિલ રજૂ થવાની ધારણા Finance bill listing the rates of stamp duty and registration fee real estate sector

Shanti Shram

જૂન 2022માં જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડ, ગત વર્ષથી 56 ટકા વધારે

Shanti Shram

SBI આપી રહી છે 2 લાખનું ફ્રી ઇન્શ્યોરન્સ કવર

shantishramteam