Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

ભાવનગર રેંજના આઇ. જી. પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ ચોરી કરનાર ઇસમો વિરૂધ્ધ

ભાવનગર રેંજના આઇ. જી. પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ ચોરી કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સમજ કરતા. જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર. આઇ. સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના પોલીસ હેડ કોન્સ, યોગેન્દ્રસિંહ નટવરસિંહ તથા પોલીસ સ્ટાફ વિગેરે આજરોજ તા. ૨૨/૦૭/ર૦રર ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમાં હતા, તે સમયે પોલીસ કોન્સ. દશરથસિંહ બાબભા ગોહિલ તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ રાણાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારની આધારભુત હકિકત મુજબ આજથી અઢી વર્ષ પહેલા તગડી ગામેથી લગ્ધિરસિંહ રૂપસંગભાઇ રાઠોડના કબ્જાની બજાજ ઇક્કો ગ્રીન રીક્ષા રજી. નં. GJ. 04. /AU. 4195 ની ચોરી થયેલ જે રીક્ષા આગળ પાછળ નંબર વગર હમણા વાસણધાટથી રબ્બર ફેકટરી તરફ આવે છે. જેથી આ અંગે વોચમાં રહેતા રબ્બર ફેકટરી ખાતેથી આરોપી અસલમભાઇ મહેબુબખાન પઠાણ/સીપાઇ, ઉવ. ૩૦, રહે. કુંભારવાડા, નારીરોડ, લાલ કારખાના પાછળ, મફતનગર, ભાવનગરવાળો મળી આવતા અસલ મુદામાલ બજાજ ઇક્કો ગ્રીન રીક્ષા રજી. નં.GJ. 04. AU. 4195 વાળી જેની કિ. રૂ. ર૫, ૦૦૦/ની કબ્જે કરી તેના વિરૂધ્ધમાં સીઆર. પી. સી. કલમ-૪૧(૧) (ડી) મુજબની કાર્યવાહી કરી આ અંગે આગળની તપાસ તજવીજ હેડ કોન્સ. શ્રી વાય. એન. ગોહિલ* સાહેબએ હાથ ધરેલ છે.

Advertisement

संबंधित पोस्ट

મોબાઈલ ફોનને ચાર્જિંગમાં રાખી વાપરવો છે સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો કેમ

shantishramteam

ગિરનાર તીર્થોદ્ધારક આ.શ્રી નીતિસુરિજી સમુદાયના ગચ્છાધિપતી પ.પૂ આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. ના ૮૯મા જન્મ દિને કોટિ કોટિ વંદના

Shanti Shram

મહારાજ સાહેબ ના 102 માં જન્મદિવસ નિમિત્તે શ્રી ગુરુપ્રેમ મિશન દ્વારા માતોશ્રી વૃદ્ધાશ્રમ માં દાદા-દાદીની વસ્ત્ર ભોજન આદિ દ્વારા સેવા કરવામાં આવી.

shantishramteam

અનાજ.. ઝડપાય્…અધિકારી ઝડપાય…જીલ્લાવાળા..માલામાલ…પ્રજા…જૈસે.. થે બનાસકાંઠા મહેસુલી આલમમાં હડકંપ….  નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા.

Shanti Shram

AP Election Commissioner: आंध्र प्रदेश चुनाव आयुक्त के रूप में डॉ एन रमेश कुमार को सौंपी गई जिम्मेदारी

Admin

પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીના સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠાનું મુર્હત અર્પણ કરાયું

Shanti Shram