Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

ઓનલાઇન શિક્ષણથી ત્રસ્ત બાળકો શાળામાં પહોંચ્યા પણ પુસ્તકો જ ગેરહાજર

એકમ કસોટી રદ કરીને પુસ્તકની પ્રશ્ન બેંક આધારિત મુલ્યાંકન કરવાની વાત શિક્ષણ તંત્રમાં ચર્ચાનો વિષય ગાંધીનગર કોરોના કાળના બે વર્ષ માટે શાળાઓ બંધ રહ્યાં પછી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ શિક્ષણ તંત્ર જાણે ગોથે ચઢી ગયું છે. ઓનલાઇ શિક્ષણથી ત્રસ્ત બાળકો શાળામાં આવી ગયાં છે. પરંતુ પુસ્તકો પહોંચ્યા નથી. ત્યારે પહેલા એકમ કસોટીની જાહેરાત કરવા બાદ તેને રદ કરીને પુસ્તક આધારિત પ્રશ્ન બેંક આધારિત મુલ્યાંકન કરવાની વાત શિક્ષણ તંત્રમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.વર્ષ ૨૦૨૨માં શાળાઓ ખોલીને બાળકોને ઓફલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાની સાથે તેના માટેની નિયમિત પ્રક્રિયા કરવાનું અનિવાર્ય રહેશે. તેવી મહત્વની બાબત શિક્ષણ વિભાગ ચૂકી ગયાના પગલે અનેકવિધ ગોટાળાની શરૃઆત થિ ગઇ છે. શાળાઓ ધમધમતી થિ ગઇ તેને દોઢ મહિનો થવા છતાં શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા નથી. આ વાતની જાણકારી સ્વાભાવિક રીતે છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થી એને શિક્ષકથી માંડીને સચિવાલયમાં બેસતા શિક્ષણ વિભાગના મંત્રી તથા સચિવ સુધીના અધિકારીઓ જાણતા હોવા છતાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ પુસ્તકો શાળા સુધી પહોંચ્યા નહીં હોવાની વાતે હોબાળો થવાની સાથે એકમ કસોટી રદ કરી દેવામાં આવી હતી. એકમ કસોટી રદ કરવામાં આવ્યા બાદ પુસ્તકમાંથી પ્રશ્ન બેંક બનાવીને તેના જવાબો મેળવીને મુલ્યાંકન કરવાની વાત કરવામાં આવી પરંતુ છતાં મહાનુભાવો પુસ્તકોદરેક શાળામાં ઉપલબ્ધ નહીં હોવાની વાત ભૂલી ગયા. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રીતસરના દ્વિધામાં મુકાઇ ગયાં છે. દેરકના ચહેરા પર શું કરવું તે સવાલ દેખાઇ રહ્યો છે. હવે રાતો રાત પુસ્તકો પહોંચાડવામાં આવશે કે, મુલ્યાંકનને પાછળ ધકેલવામાં આવશે. તે જોવાનું રહેશે.

Advertisement

संबंधित पोस्ट

જૂનાગઢની બહાઉદીન આર્ટસ કોલેજમાં 360 જગ્યા સામે આવી 1300 વિદ્યાર્થીની અરજી

Shanti Shram

યોગી સરકાર એક કરોડ યુવાનોને આપશે ટેબલેટ અને સ્માર્ટફોન, જાણો બીજા લાભ વિષે…

shantishramteam

સુરત રાજયમાં ટકાવારી અને એ-1 ગ્રેડમાં અવ્વલ નંબરનું સ્થાન મેળવ્યુ

Shanti Shram

આજે ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓનું ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમા રાજકોટ જિલ્લાનો 72.86% પરિણામ આવ્યું છે

Shanti Shram

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળવાટિકામાં ‘પા પા પગલી’ પ્રોજેક્ટ શરૂ કરાયો

Shanti Shram

જાફરાબાદના આરોગ્ય સ્ટાફ બહેનોને અમરેલી ખાતે કુપોષણના દરને ઘટાડવા માટે અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેનિંગ અપાઈ …

Shanti Shram