Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા NGES કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા NGES કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરાયું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે . જેના ભાગરૂપે પાટણ શહેરના એન . જી . ઇ . એસ કેમ્પસમાં આવેલ કોલેજોમાં શ્રી અને શ્રીમતિ પી . કે . કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં કોલેજના એન . એસ . એસ અને ઇકો ક્લબ યુનિટના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં કુલ ૭૭ ભાઈઓ અને ૮૨ બહેનો મળી કુલ ૧૫૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાં કોલેજના મેઘન ખાતે લીમડા , કણજી , જાંબુ , આસોપાલવ , જામફળ , ચીકુ , કણજા વગેરે જેવા કુલ મળી ૨૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા . આ કાર્યક્રમનું સંચાલન એન . એસ . એસ પ્રોગ્રામ ઓફિસર ડો . અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ડો . ભરતભાઈ ચૌધરીએ હાજર રહી વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો લલિતભાઈ પટેલના માર્ગદર્શન સફળતાપૂર્વક યોજાયો હતો

Advertisement

संबंधित पोस्ट

અદાણી પરિવાર વતનની વ્હારે : થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

Shanti Shram

સરકારી કામની મંથરગતીથી ખેડુતો મુશ્કેલીમાં farmers government

Shanti Shram

ઉનાના નાદંણ ગામે રહેતા ધોરણ 10 ની પરીક્ષા માં ભટ્ટી નજીર અયાન   98.66 PR સાથે તાલુકા માં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

Shanti Shram

મોરબીના રાજપર રોડ પર લાખોના દારૂ પ્રકરણમાં ૧૩ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

Shanti Shram

હવામાન સમાચાર : IMD એ કહી આ વાત ,કેરલમાં સમય પહેલાં મોનસૂન એન્ટ્રી કરી શકે છે.

shantishramteam

જાણો કેમ 25 એપ્રિલના દિવસને કેમ વર્લ્ડ મલેરિયા ડે તરીકે ઉજવાય છે…

shantishramteam