Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ મુલાકાત કરી

નવી સુવિધાઓ અંગે ડોક્ટરોને માહિતગાર કર્યા આવનાર દિવસોમાં માનસિંહજી હોસ્પિટલમાં ગાયનેક તેમજ ઓર્થોપેડિક ડોક્ટરો નિયમિત મળશે પાલીતાણા તાલુકાની સુખાકારી માટે બનેલ ‘એ’ ગ્રેડની હોસ્પિટલ માનસિંહજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે જેને લઇને ગઇકાલે રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ઇ- ટેલીમેડિસિન સેવા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ વેલનેશ સેન્ટરો અને સબ સેન્ટરથી દર્દીને સામાન્યથી લઈને સર્જરી સુધીનું માર્ગદર્શન ફોન પર જ મળી રહે તે અંગેની વિગતોથી ડોક્ટરોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. પાલીતાણાના પનોતા પુત્ર અને ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના સતત પ્રયત્નો થી પાલીતાણા માનસિહજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ એઇમ્સના ડોક્ટરોની મુલાકાતથી નવી સુવિધાઓમાં વધારો થશે. આવનાર દિવસોમાં માનસિંહજી હોસ્પિટલમાં ગાયનેક તેમજ ઓર્થોપેડિક ડોક્ટરોની સેવા નિયમિત મળતી થાય તે માટેના પ્રયાસો વિશેની ચર્ચા પણ આ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. આમ, ભાવનગરની આરોગ્ય સુવિધાઓમાં તેને લીધે વૃધ્ધિ થશે અને લોકોને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ તબીબી સેવાઓ મળતી થશે. આ મુલાકાત સમયે પાલીતાણાના સ્થાનિક આગેવાનશ્રી ગોપાલભાઈ વાઘેલા, માનસિંહજી હોસ્પિટલના ડો.કલ્પનાબેન ચૌહાણ અને તાલુકાના હેલ્થ ઓફિસર ડો.દિપક મકવાણા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

संबंधित पोस्ट

મોરબીના યુવા લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાને pen એવૉર્ડ 2022 દ્વારા સન્માનિત કરાયા

Shanti Shram

ધાકડી તીર્થ મધ્યે ધ્વજારોહણ યોજાયું.

Shanti Shram

નડિયાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના લોકાર્પણ સમારોહમા નડિયાદની સેવાકીય ‌સંસ્થાઓને અને વ્યક્તિઓને સન્માનિત કરાયા

Shanti Shram

ચાણસ્મા યોગાશ્રમ ખાતે દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું

Shanti Shram

અમદાવાદમાં તૂટ્યા તમામ નિયમો,વેક્સિન લેવા થઈ ધક્કામુક્કી

shantishramteam

મહારાણા પ્રતાપની 482 મી જન્મ જયંતિમાં મોટી સંખ્યામાં મહાનુભાવો રહેશે ઉપસ્થિત

Shanti Shram