Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

હવે તમને FD પર મળી શકે છે વધુ રિટર્ન, RBIએ વ્યાજદરમાં વધારાના સંકેત આપ્યા

દેશમાં સતત વધતી મોંઘવારી વચ્ચે હવે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે મધ્યમવર્ગને બેંકમાં જમા એફડી પર વધુ વ્યાજ મળે તેવી સંભાવના છે. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંકે જમા રકમ પર વ્યાજદરોમાં વધારાના સંકેત આપ્યા છે. શનિવારે જારી એક રિપોર્ટમાં આરબીઆઇએ કહ્યું છે કે, આગામી મહિનાઓમાં બેંકોએ જમા દરોમાં વૃદ્વિ કરવા માટે મજબૂર થવું પડશે. તેને કારણે ક્રેડિટ ગ્રોથ બેંક ડિપોઝિટની તુલનામાં ઝડપી ગતિએ વધી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર દેશનો ઇકોનોમિક આઉટલૂક મજબૂત છે. ચોમાસાની સ્થિતિ બહેતર છે અને ફૂગાવાનું દબાણ સ્થિર છે અથવા આગળ કામ થઇ શકે છે. સસ્ટેનેબલ હાઇ ગ્રોથ માટે પરિસ્થિતિઓ મજબૂત થઇ છે. રિપોર્ટ અનુસાર સહ-લેખક આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ કહ્યું કે, અમે વ્યાપાર ખાધ અને પોર્ટફોલિયો આઉટફ્લો પર બહુ નજીકથી અને સતત દેખરેખ રાખવાની આવશ્યકતા છે.

Advertisement

ડિપોઝિટ પર વ્યાજદર વધારવા પડશે

રિઝર્વ બેંકે ક્રેડિટ ગ્રોથ અને ડિપોઝીટને લઇને જે વાત કરી છે તેના આધાર પર જોઇએ તો બેંકોએ ડિપોઝીટ પર વ્યાજદર વધારવા પર કામ કરવું પડશે. બેંક નિષ્ણાત અનુસાર, જમા વધારવા માટે એફડી અથવા અન્ય ડિપોઝીટ પર વ્યાજદર વધારવો પડશે. જો વ્યાજદર વધશે તો તમને તમારી એફડી પર વધુ રિટર્ન મળશે.

Advertisement

મોંઘવારી પણ ઘટે તેવું અનુમાન

આરબીઆઇ બુલેટિન અનુસાર આરબીઆઇએ 10 અબજ ડોલરની વિદેશી મુદ્રા ખરીદી અને 8 ડોલરનું વેચાણ કર્યું છે. મે મહિનામાં 2 અબજ ડોલરની ખરીદી કરાઇ હતી. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર હાલના સપ્તાહમાં કોમોડિટીની કિંમતો એટલે કે સોનું, ચાંદી, મેટલઅને બીજી વસ્તુઓની કિંમતોમાં ઘટાડો ચાલુ રહેશે અને સપ્લાય ચેઇન પર દબાણ ઓછું રહેશે મોંઘવારીમાં રાહત મળી શકે છે.

Advertisement

संबंधित पोस्ट

New Zealand ના આ શહેરનું નામ વાંચવું છે હિંમતનું કામ , પ્રયત્ન કરી જુઓ!

shantishramteam

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૨-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

Gold Hallmarking મામલે સરકારે 40 લાખ સુધી ટર્નઓવર કરતા જવેલર્સને આપી રાહત

shantishramteam

કારગિલ વિજય દિવસ: ભારતને બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા ઘુષણખોરોથી જીતને 22 વર્ષ થઇ ગયા છે.

shantishramteam

શું તમને ખબર છે કે ભગવાન વિષ્ણુ ની સૌથી મોટી મૂર્તિ વિશ્વ માં ક્યાં છે ?

Shanti Shram

ઝવેરચંદ મેઘાણી,રાષ્ટ્રીય શાયર ની 125મી જન્મજયંતિ પર એક નજર કવિવરની જીવન ઝરમર પર

shantishramteam