Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

અમદાવાદ જિલ્લામાં માધ્યમિક-ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધ ફરમાવતું આ છે જાહેરનામું

અમદાવાદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુલાઈ-૨૦૨૨માં લેવાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨(એચ.એસ.સી.) તા.૧૮ જુલાઈથી તા.૨૨ જુલાઈ દરમ્યાન અમદાવાદના જુદાજુદા કેન્દ્રો પર યોજાનાર છે. સદર પરીક્ષાઓની વિશ્વસનિયતા વધે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરની હદ સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલિકો, સંચાલકો જાહેર પરીક્ષાને લગતા કોઈ પણ સાહિત્ય, પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહીં તથા ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોએ તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા સદરહુ પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશામાં ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી કેટલાંક કૃત્યો કરવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૮ જુલાઈથી તા.૨૨ જુલાઈના સવારના ૮.૦૦ કલાકથી સાંજના ૧૯.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું / કરાવવું નહીં તેમજ લાઉડસ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. જેવા કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. એમ અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી. પંડયાએ જણાવ્યું છે.

Advertisement

संबंधित पोस्ट

 દીઓદર તાલુકામાં ઠાકોર સમાજ દ્વારા કન્યા કેળવણી રથ ૬૦ ગામો માં પરિભ્રમણ કર્યું.

Shanti Shram

ગુજરાત બોર્ડ રિઝલ્ટ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

Shanti Shram

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારી- અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન આજે સાંજે ૪ વાગ્યે બેઠકનું આયોજન

Shanti Shram

વેબસાઇપ પર સુવિધા: ધો.12 સાયન્સના ગુણચકાસણીના રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર મુકાયા 10 જુલાઇ સુધી વેબસાઇપ પર સુવિધા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

Shanti Shram

દાહોદમાં જિલ્લા કક્ષાનો ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

Shanti Shram

જાફરાબાદના આરોગ્ય સ્ટાફ બહેનોને અમરેલી ખાતે કુપોષણના દરને ઘટાડવા માટે અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેનિંગ અપાઈ …

Shanti Shram