Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

સરકારી ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંકમાં ડિપોઝીટ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, SBIએ 2 કરોડ રૂપિયા અને તેનાથી વધારેના ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર વધારી દીધા છે. બેંક દ્વારા વધારવામાં આવેલા આ નવા વ્યાજદર 15 જૂલાઈ 2022થી લાગૂ પડશે.

બેંકના જણાવ્યા અનુસાર 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર બેંક 3.50 ટકાના દરે વ્યાજ આપવાનું ચાલુ રાખશે, તો વળી 46 દિવસામં 179 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4 ટકાના વ્યાજદર છે. આ ઉપરાંત 180 દિવસથી 210 દિવસ સુધી મેચ્યોર થનારી ડિપોઝિટ પર એસબીઆઈ 4.25 ટકાના વ્યાજ દર આપવાનું ચાલુ રાખશે.

Advertisement

આવી જ રીતે 211 દિવસથઈ એક વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝિટ પર વ્યાજ દર 4.50 ટકા પર સ્થિર છે. તો વળી 1 વર્ષથી 2 વર્ષના ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર હવે 5.25 ટકા વ્યાજદર મળશે, જે પહેલા 4.75 ટકા વધારો હતો.

બેંક 2 વર્ષથી 3 વર્ષની ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.25 ટકા અને 3 વર્ષ તથા 10 વર્ષ સુધી મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.50 ટકાના દરથી વ્યાજ દર ચાલુ રાખશે.

Advertisement

આપને જણાવી દઈએ કે, બેંક ગત વખતે 14 જૂન 2022ના રોજ 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. એસબીઆઈ હવે 7 દિવસથી 10 વર્ષોમાં મેચ્યોર થનારી જમા પર 2.90 ટકાથી 5.50 ટકાના હિસાબે વ્યાજ આપશે.

IDBI બેંકના વ્યાજદર

Advertisement

2 કરોડથી ઓછી ડિપોઝીટ પર આઈડીબીઆઈ બેંકે વ્યાજ દર વધારી દીધું છે. બેંકની વેબસાઈટ જણાવે છે કે, વધેલા વ્યાજ દર 14 જૂલાઈ 2022થી લાગૂ છે. બેંક 7 દિવસથી 30 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 2.70 ટકા વ્યાજદર આફશે, જ્યારે આઈડીબીઆઈ બેંક 31 દિવલથી 45 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 3.00 ટકાના વ્યાજદર આપશે.

Advertisement

संबंधित पोस्ट

મુવર સ્કીમ અંતર્ગત આયાત કરાતી મશીનરી ઉપર બેઝીક કસ્ટમ ડયૂટી ભરવી પડતી નથી, બેંક ગેરંટીની પણ જરૂર પડતી નથી : નિષ્ણાંત

Shanti Shram

70 દિવસથી AMTS-BRTS બંધ રહેતાં AMCએ કરોડોની આવક ગુમાવી

shantishramteam

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા રોકાણકારો માટે મોટા સમાચાર, 1 જુલાઇથી ક્રિપ્ટો પર આટલો TDS કપાશે

Shanti Shram

જાણો કયો બિઝનેસ છે જેમાં સરકાર પણ કરશે તમને મદદ,5 હજાર રૂપિયાનું રોકાણ અને મહિને 50 હજારની કમાણી

shantishramteam

ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સરકારે બીજો શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

Shanti Shram

મુંબઈના DABBAWALA હવે રેસ્ટોરન્ટથી લોકો સુધી જમવાનું પહોંચાડશે

shantishramteam