Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે મહુવા અને તળાજા તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં સંભવિત વધુ વરસાદ પડે તો તકેદારીના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સંભવિત ભારે વરસાદ ની આગાહીને અનુસંધાને સ્ટેન્ડ ટુ છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુ થી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહુવા અને તળાજા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, મહુવા ડે. દિપેશભાઈ, તળાજા ડે. મામલતદાર મોરીભાઇ ટીમની સાથે રહ્યાં હતાં . આમ મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારની મુલાકાત માટે ટિમ પહોશી હતી .

Advertisement

संबंधित पोस्ट

કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલને અસ્મિતા પુરસ્કારથી સન્માનિત કરાયાં

Shanti Shram

પાલનપુર ખાતે જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક યોજાઈ

Shanti Shram

સજાગ ગ્રુપ દ્વારા અમદાવાદમાં વસતા આર્થિક તકલીફ ધરાવતા જૈન સાધર્મિક પરિવારોને અનાજને કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Shanti Shram

સુરતમાં શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઈ શાહ ની પ્રેરણા અને માર્ગદર્શનથી સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરનું લોકાર્પણ કરવા માં આવ્યું.. (Surat Covid Isolation Center)

Shanti Shram

આ છે ગુજરાતનો ‘રામાનુજન’    22 વર્ષની ઉંમરે 10 રિસર્ચ પેપર રજૂ કર્યાં, 2200 વર્ષ જૂના વૈદિક ગણિતના જનક ઋષિ પિંગળને ‘શાહ-પિંગળ સૂત્ર’ રૂપે ટ્રિબ્યૂટ આપી

Shanti Shram

ઘાટલોડિયા, અમદાવાદ મધ્યે “ માં, મહાત્મા, પરમાત્મા ” વંદન તમોને એવો કાર્યક્રમ યોજાયો.

Shanti Shram