Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

રાજકોટ કોરોના અપડેટ: કોરોનાએ ફરી માથું ઉચક્યું એક સાથે ૭ કેસ આવ્યા પોઝિટિવ

રાજકોટમાં મંગળવારે નવા 7 કેસ નોંધાયા છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 21 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આથી સારવાર હેઠળ દર્દીની સંખ્યા 62 રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64004 પર પહોંચી છે. ગઈકાલે શહેરના યુનિવર્સિટી રોડ પર 75 વર્ષીય વૃદ્ધ, યોગેશ્વર પાર્કમાં 25 વર્ષીય યુવાન, સુંદરમ પાર્કમાં 43 વર્ષીય પુરુષ, રેસકોર્સ વિસ્તારમાં 45 વર્ષીય મહિલા, મહાવીર સોસાયટીમાં 42 વર્ષીય પુરુષ, ઇન્દિરા સર્કલ વિસ્તારમાં 41 વર્ષીય પુરુષ અને માધાપરમાં 43 વર્ષીય પુરુષ સંક્રમિત થતા મનપાની આરોગ્ય શાખાએ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 313, તાવના 68 અને ઝાડા-ઊલટીના 92 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 18, મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.

Advertisement

संबंधित पोस्ट

ભાવનગર શહેરમાં કોરોનાના 5 નવા કેસ, 24 કલાકમાં 26 દર્દીઓ થયા રોગમુક્ત  સુરતથી વરતેજ પરત ફરેલો યુવાન કોરોના પોઝિટિવ  સમગ્ર જિલ્લામાં કુલ 88 દર્દીઓ કોરોનાની સારવારમાં આજે ભાવનગર શહેરમાં નવા 5 દર્દીઓ મળ્ય

Shanti Shram

શ્રી મહાવીર જૈન સોશીયલ ગ્રૂપ નિર્ણયનગર દ્વારા ધાબલા વિતરણ યોજાયું

Shanti Shram

કારણ જાણીને તમે થઈ જશો હેરાન :બાળક જન્મતાની સાથે જ માતા ખાઈ જાય છે તેની ગર્ભનાળ!

shantishramteam

જાણો સારા સ્વાસ્થ્ય માટે શું કહે છે ચાણક્ય નીતિ ?

shantishramteam

સફળતા ની ગુરુ ચાવી આ જીવનમાં ખરેખર શું છે ?

Shanti Shram

इंग्लैंड में पाकिस्तानी टीम से जुड़ेंगे मोहम्मद आमिर, दोनों कोरोना टेस्ट आया नेगेटिव

Admin