Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વીટર, લગાવ્યો માનહાનીનો આરોપ, જાણો સમગ્ર મામલો

ટ્વિટરે ભારત સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર્યો છે. પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ હટાવવાના આદેશ સામે ટ્વિટર કોર્ટમાં પહોંચ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ટ્વિટર કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચી ગયું છે. આ મામલાને લગતા એક સૂત્રએ જણાવ્યું છે કે ટ્વિટર ભારત સરકારના કેટલાક આદેશને જે પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ હટાવવાનો હતો તેને રિવર્સ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કાનૂની પડકારમાં ટ્વિટરે સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારત સરકાર સાથે વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને અમેરિકન સોશિયલ મીડિયા કંપની કાયદાકીય સહારો લેવાનો પ્રયાસ કરી રહી છે.

Advertisement

તાજેતરમાં જ સરકારે ટ્વિટરને ચેતવણી આપી હતી. IT મંત્રાલયે આદેશોની અવગણના કરવા બદલ ટ્વિટર સામે ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપી હતી.

સરકારે શું આપી હતી ચેતવણી?

Advertisement

આ માટે ટ્વિટરને 4 જુલાઈ સુધીની તક આપવામાં આવી હતી. ખરેખર IT મંત્રાલયે ટ્વિટરને નવા IT નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. આદેશનું પાલન ન કરવાના કેસમાં ટ્વિટરને તમામ લાભો અને છુટ જે સરકાર તરફથી મળવાની હતી બંધ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

આદેશોની સતત અવગણનાને કારણે મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. તાજેતરમાં જ ભારતીય સત્તાવાળાઓએ ટ્વિટરને પ્લેટફોર્મ પરથી ભારત વિરોધી સામગ્રી હટાવવા માટે કહ્યું હતું.

Advertisement

કઈ દેશ વિરોધી સામગ્રી છે ?

ટ્વીટરમાં કેટલાક ખાલિસ્તાનને સમર્થન આપતા એકાઉન્ટ છે. આ ઉપરાંત, સરકારે COVID-19 રોગચાળા વિશે ભારત વિરોધી માહિતી ફેલાવતી ટ્વિટ્સને દૂર કરવા કહ્યું હતું.સાથે અન્ય દેશ વિરોધી કન્ટેન દૂર કરવા ટ્વીટરને કહ્યું હતુ.. અહેવાલો અનુસાર, સરકારે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને 6 જૂન અને 9 જૂને નોટિસ મોકલી હતી. સહકાર ન આપતા હોવાનું તેમાં જણાવ્યું હતું.

Advertisement

સરકારે ટ્વિટરને નવા આઈટી નિયમો અનુસાર કામ કરવા માટે 4 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો, જે હવે પૂર્ણ થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે ટ્વિટરે કાનૂની લડાઈ લડવાનો નિર્ણય લીધો છે. જો કે આ મામલે આઈટી મંત્રાલય દ્વારા હાલ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર અને ટ્વીટર વચ્ચેની લડાઈ ક્યાં સુધી પહોંચે છે, સાથે આ લડાઈથી એપ અને કસ્ટમરને કેટલું નુકસાન થાય છે.. એ તો આવનારો સમય જ બતાવશે.. હાલ આ કેસની સુનાવણી થોડા દિવસોમાં થશે.

Advertisement

संबंधित पोस्ट

તમને મળશે 10 કરોડ રૂપિયા! જો તમારી પાસે 1 રૂપિયાનો આ સિક્કો હશે.

shantishramteam

શ્રીલંકાએ T20 સીરિઝ 2-1થી જીતી લીધી

shantishramteam

તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદો થાય છે ?

Shanti Shram

જમ્મુ કાશ્મીરઃ પૂરના કારણે 5 પુલ વહી ગયા, મચૈલ સેક્ટરમાં ફસાયા 300થી વધુ લોકો

shantishramteam

શું તમને ખબર છે અહીં સ્વયં દેવતાઓએ કરી શિવલિંગની સ્થાપના? જાણો, કચ્છના કોટેશ્વર શિવલિંગનો મહિમા

shantishramteam

માત્ર 10 દિવસમાં દૂર કરો ઘુંટણ અને કોણીની કાળાશ, અજમાવી જુઓ આ ઉપાય

shantishramteam