Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
કોરોના

આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો: રાજકોટ શહેરમાં ૨૦ દિવસ બાદ પહેલી વખત કોરોનાનો એક પણ કેસ નહીં

રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ રવિવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં છેલ્લે 14 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 9 લોકો કોરોના મુક્ત થતા હાલ 57 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં હાલ સૌથી વધારે કેસ અમદાવાદમાંથી આવી રહ્યા છે અને શનિવારે ત્યાંથી જ આવેલા એક 45 વર્ષીય યુવાન કે જે મોચીનગરમાં રહે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સંભવત: અમદાવાદથી આવેલા હોય તેવા જૂજ કેસ અત્યાર સુધીમાં આવ્યા છે અને આ કેસ કેટલા ચેપી છે અને વેરિયન્ટ અલગ છે કે પછી એ જ રહ્યો છે તેને લઈને આરોગ્ય તંત્રમાં તપાસ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં જે પણ કેસ આવ્યા તેમાંથી અમુક કેસના સેમ્પલ વાયરોલોજી સ્ટડી માટે મોકલી વેરિયન્ટ જાણવા પ્રયત્ન કરાયો છે જોકે હજુ સુધી તેમાંથી એકપણના પરિણામ આવ્યા નથી. શહેરમાં હાલ મોચીનગરમાં 45 વર્ષીય પુરુષ, એસ્ટ્રોન સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધ, માધાપર ચોકડી પાસે 45 વર્ષીય મહિલા અને 55 વર્ષીય પુરુષ, રૈયા રોડના આલાપ ગ્રીન સિટીમાં 49 વર્ષીય મહિલા, વૈશાલી નગરમાં 63 વર્ષીય વૃદ્ધા અને પૂજારા ટેલિકોમ પાસે રહેતા 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેઓ હોમ આઇસોલેટ થયા છે બીજી તરફ શનિવારે એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું નોંધાયું છે તેથી તેમના પરિવાર કે સ્નેહીજનોમાંથી ચેપ લાગ્યો છે. આ સિવાય માધાપર ચોકડી પાસેથી બે કેસ મળ્યા છે. રાજકોટ શહેરમાં હજુ પણ કેસની સંખ્યા એક દિવસ વધુ તો એક દિવસ ઓછી એ રીતે આવી રહી છે તેથી ખરેખર ચોથી લહેર છે કે પછી કોઇ ચોક્કસ સ્થળે જ ચેપ વકરે છે તે હજુ પુરવાર થઈ શક્યું નથી.

Advertisement

संबंधित पोस्ट

IIT હૈદરાબાદે બનાવી બ્લેક ફંગસની દવા, જાણો 60 mg ની શું છે કિંમત???

shantishramteam

કોરોના ની રસી ના ભાવ પર રાજકારણ

shantishramteam

જાણો રેકોર્ડ એક લાખ એક્ટિવ કેસ છેલ્લા 24 કલાકમાં ઘટ્યા: દેશમાં કોરોનાના 2.81 લાખ નવા કેસ, 3.78 લાખ લોકો સાજા પણ થયા જયારે 4,092 લોકો મૃત્યુ પામ્યા

shantishramteam

કોરોનાના કહેર ને કારણે ગુજરાત એસ.ટી નિગમના 800 કર્મચારીઓ સંક્રમિત થયા, કરી વળતરની માંગ

shantishramteam

જમ્મુ અને કાશ્મીર ની નાની બાળકીની ક્યૂટ ફરિયાદની થઇ અસર, ઓનલાઈન ક્લાસના ટાઈમ થયા ફિક્સ

shantishramteam

શું તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે? જાણો લક્ષણો અને ઉપાય…

shantishramteam