Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે તમારી પાસે આ દસ્તાવેજો હોવા જરૂરી છે, વાંચો દસ્તાવેજોની યાદી

અસેસમેન્ટ યર 2022-23 માટે હવે કરદાતાઓ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ઇનકમ ટેક્સ રિટર્ન ભરી શકે છે. જો કે અનેક લોકો હજુ પણ આઇટી રિટર્ન જાતે ભરવા માટે જરૂરી દસ્તાવેજોની જાણકારી અંગે અસમંજસમાં રહે છે. તમે જ્યારે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ઑનલાઇન આઇટીઆર દાખલ કરો છો તો તમને ત્યાં બે ફોર્મમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ મળશે. આઇટીઆર ફોર્મ-1 અને આઇટીઆર-4.

મોટા ભાગના કરદાતાઓ આ જ ફોર્મનો ઉપયોગ કરીને પોતાનો ટેક્સ ભરે છે. આ ફોર્મમાં મોટા ભાગના જાણકારીઓ પહેલાથી જ ભરેલી હોય છે જેને કારણે કરદાતાઓ માટે આઇટીઆર ભરવું સરળ બની જાય છે. તે ઉપરાંત ખોટી જાણકારીની ખરાઇ કરીને તેને સાચી પણ કરવાની હોય છે.

Advertisement

આઇટી રિટર્ન ભરવા માટે આ દસ્તાવેજ આવશ્યક
ઇ-ફાઇલિંગ પોર્ટલ પર આઇટીઆર ભરવા માટે તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોર્મ-16, બેંક એકાઉન્ટ તેમજ રોકાણની વિગતો, ઇનકમ પ્રૂફ જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે. તે ઉપરાંત આઇટીઆર ફાઇલ કરવા માટે પાન અને આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. કરદાતાનું ઇમેલ આઇડી પણ ઇનકમ ટેક્સ વિભાગ પાસે રજિસ્ટર્ડ હોવું જરૂરી છે.

ITR-1 ફોર્મ કોને ભરવાનું રહેશે?
આ ફોર્મ એ લોકોને ભરવાનું રહે છે જેનું વેતન, પ્રોપર્ટી, વ્યાજ તેમજ કૃષિથી થયેલી આવક મળીને કુલ આવક 50 લાખ રૂપિયા સુધી હોય. તેમાં તમારી સેલેરી, હાઉસ પ્રોપર્ટીથી થતી કમાણી, વ્યાજ અને ડિવિડન્ડથી થતી આવકની જાણકારી પણ રજૂ કરવી પડે છે. આ ઉપરાંત પણ કોઇ અન્ય સ્ત્રોતથી તમે કમાણી કરો છો તો આ ફોર્મનો ઉપયોગ નહીં કરી શકો.

Advertisement

ITR-4 ફોર્મ કોને ભરવાનું રહેશે?
તમે વ્યક્તિગત, એચયૂએફ અને ફર્મ (એએલપી સિવાયની) છે અને આપની વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધુ છે અને તમારી આવક સેક્શન 44એડી, 44એડીએ અથવા 44એઇની ગણના અનુસાર બિઝનેસ અને પ્રોફેશનથી થઇ છે તો તમારે આઇટીઆઇર ફોર્મ 1 નહીં ભરવાનું રહે. તમારે આઇટીઆર ફોર્મ-4ને પસંદ કરીને આઇટીઆર ભરવાનું રહેશે.

Advertisement

संबंधित पोस्ट

મોંઘા રિચાર્જની ઝંઝટ ખત્મ! 230 રૂપિયાની આસપાસના રિચાર્જમાં આખું વર્ષ ચાલુ રહેશે સિમ, જાણો આ પ્રીપેડ પ્લાનની વિગતો

Shanti Shram

સિલ્વર ઇટીએફની શરૂઆત ઝાંખીઃ દેશમાં અત્યાર સુધીમાં તમામ 6 સિલ્વર ઇટીએફએ રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું છે, પ્રથમ પાંચ મહિના ખોટમાં રહ્યા

Shanti Shram

ફાયદાની વાત/ દરરોજ ફક્ત 50 રૂપિયા જમા કરાવો, પોસ્ટની આ સ્કીમમાં મળશે તમને પુરા 35 લાખ રૂપિયા

Shanti Shram

પાલનપુર નેહરૂ યુવા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Shanti Shram

પાટણ જીલ્લાના જંગરાલ ગામના વતની બારોટ યુવાનનું યુક્રેનમાં ભોજન દાન

Shanti Shram

राशिफल 24 जुलाई: इन 5 राशिवालों के आज पूरे होंगे अटके काम, सुधरेगी आर्थिक स्थिति

Admin